મોરબી34 મિનિટ પહેલા
- કૉપી લિંક

વાંકાનેરમાં મહિલાને સાસરિયા તરફથી ત્રાસ મળતો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યારે સામે પક્ષે સાસરિયાઓએ પણ પરિણીતાના પરિજનો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. પરિણીતાએ સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના પતિ સિરામિક ફેક્ટરીમાં કામ કરે છે. તેમના લગ્નને બે વર્ષ થયા છે. લગ્ન જીવનથી એક દીકરાનો પણ જન્મ થયો છે. તેઓ સાસરિયાથી અલગ રહે છે. પરિણીતાનું પિયર રાજકોટ ખાતે આવેલું છે.
પરિણીતા પોતાના ઘરે હતા તે સમયે તેમના પતિ છાશ લેવા ગયા હતા. પરિણીતાના પિતા અને તેમનો ભાઈ બંને હોળીના તહેવાર માટે હાઈડા આપવા માટે આવ્યા હતા. એ દરમિયાન તેમના સાસુ તથા જેઠાણી દોડીને આવ્યા હતા અને પરિણીતાને કહ્યું હતું કે, ‘ઘરે કેમ તારા પપ્પા તથા ભાઈ આવેલા છે, તને ના પાડ્યું છે કે તારા ઘરેથી કોઈ મહેમાન આવવા જોઈએ નહીં’ એમ કહીને સાસુ તથા જેઠાણીએ ઝપાઝપી કરી હતી.
પરિણીતા પોતાના પરિવારજનોને લઈ ઘરે જતા રહ્યા હતા. તેમના પતિ પરિણીતાને સમજાવીને ઘરે પાછા લઈ આવ્યા હતા. એ દિવસે જ રાતે પરિણીતા પુત્ર અને પોતાના ભાઈ સાથે કણકોટ હોળીમાં ગઈ હતી. ત્યારે તેમના જેઠાણી ત્યાં આવી જતાં પરિણીતા સાથે બોલાચાલી કરી હતી. જે બાદ પરિણીતા ત્યાંથી પોતાના દિયર સાથે મોટર સાઈકલમાં ત્યાંથી જતા રહ્યા હતા. એ સમયે તેમના સાસુ ઘરમાં દેકરો કરતા હતા જેથી પરિણીતા અને તેમના પતિ ઘરમાં જતા રહ્યા હતા. થોડીવારમાં બહાર દેકરા થતા પતિ બહાર ગયા હતા અને બહારથી રૂમ બંધ કરી દીધો હતો.
પતિએ જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે બહાર માણસો ભેગા થયા હતા. જ્યાં તેમના પિતા, માસા તથા મામા તથા પાડોશી ત્યાં હાજર હતા. તેઓ બધા સાસરિયાવાળાઓને સમજાવવા આવ્યા હતા. પરિણીતાના સસરા તથા જેઠ અને દિયરના હાથમાં લાકડીઓ હતી અને ત્યાં મારીમારી થઈ હતી.