- Gujarati News
- Local
- Gujarat
- Navsari
- The Parsi Community Today Kept The Religious Tradition By Performing Water Worship, The Parsi Community Kept The Festival Alive In Navsari Even Today By Mixing It With Milk.
નવસારી28 મિનિટ પહેલા
- કૉપી લિંક
પ્રકૃતિને પૂજનારા પારસીઓએ આજે નવસારીની લોકમાતા પૂર્ણાં નદીના કિનારે આવા યઝદની પરબ કરી હતી. પારસીઓએ પૂર્ણાં નદીની પૂજા સાથે જ તેમના આવા દેવીને પ્રાર્થના કરી ફળદ્રુપતા અને સમૃદ્ધિના આશીર્વાદ માંગ્યા હતા. સાથે જ નદીના તટે અગ્નિની પૂજા અર્ચના સાથે આવા પરબનું જશ્ન પણ મનાવ્યુ હતુ.

નવસારીમાં પારસી સમાજ મોટી સંખ્યામાં વસ્યો છે. પારસીઓ પ્રકૃતિના તત્વોને પૂજનારા છે, જેમાં જળદેવી એટલે આવાદેવીને પણ પૂજે છે. પારસીઓના આવા મહિનામાં આવતા આવા રોઝ એટલે કે દિવસે કુદરતી રીતે પ્રાપ્ત જલસ્રોતોને આવા બાનુ (દેવી) નું વિધિ વિધાન સાથે પૂજન કરી આવા યઝદની પરબ મનાવે છે. પારસી સમાજ આ તહેવારને વિશેષ રીતે ઉજવતો હોય છે, ત્યારે કોરોના કાળમાં શાંતિપૂર્ણ રીતે આવા પરબ ઉજવી હતી.

કોરોના કાળમાં આ તહેવાર મોકૂફ રાખવામાં આવ્યો હતો બે વર્ષ પારસી સમાજે તમામ તહેવારો સંયમિત બનીને ઉજવ્યા હતા ત્યારે છેલ્લા બે વર્ષથી કોરોના કાબુમાં આવતા આ તહેવાર ઉજવવાની શરૂઆત થઈ છે. પારસીઓએ પૂર્ણા નદીના કિનારે વિધિવિધાન સાથે પૂજા અર્ચના કરી આવા પરબનું જશ્ન ઉજવ્યુ હતુ. જ્યાં મોટી સંખ્યામાં પારસીઓએ ઉપસ્થિત રહી જશ્નમાં જોડાયા હતા. સાથે જ પરંપરાગત રીતે આવા દેવીનું પૂજન કરી, નદીમાં ફૂલ, રેવડી, સાંકળ અને નારિયળ પધરાવી જળદેવીના આશીર્વાદ માંગ્યા હતા. સાથે જ પારસી વાનગી દાળની પોળી (પુરણપોળી) ધરાવી એકબીજાના મોં મીઠા કરાવ્યા હતા. સાથે જ આવા દેવીને ફળદ્રુપતા, સમૃદ્ધિ સાથે જ સારા આરોગ્યની પ્રાર્થના કરી હતી. ઉલ્લેખનિય છે કે નવસારીમાં પારસી બહુલય ધરાવતા ઘણા મોહલ્લાઓમાં કૂવાઓ આવ્યા છે, એ તમામ કુવાઓને પારસીઓ દ્વારા રિચાર્જ કરી, તેમનું જતન કરવાનું પ્રણ પણ લીધુ છે.