પાટણએક કલાક પહેલા
આરોગ્યનગરી પાટણમાં અનેક હોસ્પિટલો આવેલા છે.જેમાં પાટણ શહેરના કિલ્લાચંદ શોપિંગ સેન્ટરમાં આવેલ નિષ્ઠા સર્જીકલ એન્ડ રિસર્ચ સેન્ટર હોસ્પિટલમાં ડો વિપુલ યાજ્ઞિક સર્જનક્ષેત્રે આગવું નામ ધરાવે છે.તેમના દ્વારા અનેક સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે.અને અનેક લોકોના જીવ પણ બચાવ્યા છે.ત્યારે વધુ એક વાર ડો વિપુલ યાજ્ઞિક દ્વારા સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે.
ડો વિપુલ યાજ્ઞિકે જણાવ્યું હતું. કે પાટણ શહેરની સદભાવ હોસ્પિટલમાં ભાનુબેન નામનું એક દર્દી ઓતરડામાં અટકાવ અને કિડનીમાં સોજો તથા ફેફસામાં ચેપની ફરિયાદ સાથે દાખલ કરવામાં આવ્યા હતું તપાસના અંતે જાણવા મળ્યું હતું કે દર્દીને પિતાશયની પથરી નળીમાં કાણું પાડી નળી તથા આતરડાનો રસ્તો એક થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું (cholecystocholedochoduodenal fistula)પથરીએ આંતરડામાં અટકાવ કરેલ છે(Gallstone ileus).

સદભાવ હોસ્પિટલના ડોક્ટર ટીમ દ્વારા શરૂઆતની ગંભીર સ્થિતિ કન્ટ્રોલ કરી ઓપરેશન માટે નિષ્ઠા સર્જીકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં દોઢ કલાકના ઓપરેશન બાદ 13 જેટલી પથ્થરીઓ કાઢી આંતરડું રીપેર કર્યું હતું.સામાન્ય રીતે અંતરડામાં અટકાવના 0.5 ટકા કરતા પણ ઓછા કેસમાં પથરીના કારણે અટકાવ જોવા મળે છે.આવા કેસમાં મૃત્યુદર પણ 25 ટકા હોવાનું ડો વિપુલ યાજ્ઞિકે જણાવ્યું હતું.આમ આ મહિલાને નવું જીવન બક્ષુ હતું.
ડો વિપુલ યાજ્ઞિકે જણાવ્યું હતું કે પિત્તાશય ની પથરી નું નિદાન થાઈ તો ડૉક્ટરની સલાહ પ્રમાણે કાળજી રાખવી અને જો ડૉક્ટર ઓપેરશન ની સલાહ આપે તો સમયસર ઓપેરશન કરાવી લેવાનું જણાવ્યું હતું.જેથી ભવિષ્યમાં થતી ગંભીર તકલીફો થી બચી શકાય.ડો વિપુલ યાજ્ઞિક દ્વારા દર્દી ની ગંભીર પરિસ્થિતિ માં પ્રાથમિક સારવાર માટે સદભાવ હોસ્પિટલના ડોક્ટરની ટીમ ડો કમલ ગુપ્તા,ડો મયંક પટેલ,ડો રાજેશ ઓઝા,ડો અશ્વિન પટેલ તથા ડો મન્સૂર મોમીનનો આભાર માન્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો પ્રાથમિક તબક્કે યોગ્ય સારવાર ના મળી હોત તો દર્દીનું બચવું મુશ્કેલ હતું અને છેલ્લે દર્દીને આવી ગંભીર પરિસ્થિતિમાં અનેસથેસીઆમાં સફળતાપૂર્વક કામ કરવા બદલ ડો હના મુસાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.