નવસારી8 મિનિટ પહેલા
- કૉપી લિંક

આ સમગ્ર ઘટનામાં મૃતક યુવાનના બીજા લગ્ન કરવાનો પ્લાન કારણભૂત હોવાનું પરિવાર માની રહ્યો છે, ત્યારે વાંસદા પોલીસ મૃતક યુવાનની ડાંગ ખાતે રહેતી પ્રેમિકાને તપાસ અંતર્ગત પૂછતાછ માટે બોલાવશે. પોલીસે રવાણીયા ગામ જઈને મૃતક યુવાન ને સુસાઇડ નોટ લખી છે કે કેમ તે અંગે પણ તપાસ કરી પરંતુ ખાસ કઈ હાથ લાગ્યું નહીં. આ સમગ્ર પ્રકરણમાં ડાંગની યુવતી તપાસ દરમિયાન કોઈ મહત્વ પણ ખુલાસો કરે છે કે કેમ તેના ઉપર વાંસદા પોલીસની નજર રહેલી છે. તેમજ મૃતકોના વિશેરા રિપોર્ટ હજુ સુધી આવ્યા નથી.
શું હતી સમગ્ર ઘટના
વાંસદા તાલુકાના રવાણીયા ગામના બોરી ફળિયામાં રહેતો 39 વર્ષીય ચુંનીલાલ જત્તર ગાવિતના લગ્ન નવ વર્ષ અગાઉ તનુજાબેન સાથે થયા હતા. નવ વર્ષના લગ્ન જીવનમાં દંપતીને બે બાળકો હતા. ચુનીલાલ યુનિબેઝ કંપની દમણ ખાતે નોકરી કરતો હતો. તેની સાથે કામ કરતી આહવા ડાંગ જિલ્લાની યુવતી સાથે તેનો પ્રેમ સંબંધ બંધાયો હતો. તેની સાથે ઘર સંસાર માંડવાનો હોવાની ચુનીલાલે ઘરે વાત કરી હતી. ત્યારબાદ તારીખ 10 માર્ચ 2023ના રોજ ચુનિલાલ યુવતીને ઘરે લઈ આવ્યો હતો અને કહ્યું કે, હું કાજલ(નામ બદલ્યું છે)ને બીજી પત્ની તરીકે રાખવાનો છુ. તેવી વાત કરતા ચુનીલાલના પિતાએ તેને બે દિવસ પછી વાતચીત કરી નક્કી કરીશું તેમ કહ્યું હતું.

ચુંનીલાલના બીજા લગ્નની વાત પત્નીને માઠી લાગી
ત્યારબાદ કાજલના બાપુજી સાથે આ બાબતની વાતચીત કરી હતી પરંતુ તેઓ ઘરે નહોતા આવ્યા. જેથી ચુનીલાલ બેન અને બનેવીને કાજલના ઘરે જવા વાંસદા ખાતે મુકી આવ્યો હતો. ચુનીલાલને કાજલ સાથે પ્રેમસંબંધ હોય અને તે બીજી પત્ની તરીકે લાવવાનો હોય જેના કારણે પતિ-પત્ની વચ્ચે મનદુઃખ ચાલતું હતું. થોડા સમય અગાઉ દંપતી સાપુતારા ફરવા ગયું હતું. જ્યાંથી પરત આવી 2 દિવસ અગાઉ તેઓ સાંજે વાંસદા ગયા હતા. જ્યાં તેઓએ બાળકોને મારીને આત્મહત્યા કરવાનો પ્લાન કર્યો હતો અને ત્યારબાદ શનિવારે મોડી રાતે પાછા ફર્યા હતા.અને ત્યારબાદ રાત્રે જ બંને બાળકોને સંભવિત રીતે ગળે દબાવી મોત નીપજાવી જાતે પણ ફાંસી લગાવી આત્મહત્યા કરી હતી. આ સમગ્ર મામલે વાસદા પોલીસ તપાસ કરી રહી છે અને આગામી સમયમાં ડાંગ રહેતી મૃતક યુવાનની પ્રેમિકાને તપાસ માટે બોલાવવામાં આવશે.