ભાવનગરએક કલાક પહેલા
- કૉપી લિંક

સંસ્કાર ભારતી ભાવનગર તેમજ મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિના સંયુક્ત ઉપક્રમે નવવર્ષ પ્રતિપદા ઉત્સવ ચૈત્ર સુદ એકમના દિવસે તખ્તેશ્વર મંદિર, ભાવનગર ખાતે સંસ્કાર ભારતી દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

હિંદુઓના નવ વર્ષને વધાવવા કાર્યક્રમો
સંસ્કાર ભારતી સમગ્ર વિશ્વમાં સૌથી વધારે કલાકારો અને સભ્ય સંખ્યા ધરાવતી સંસ્થા છે. જેમા વર્ષ પ્રતિપદા ઉત્સવ ભારતની દરેક સમિતિ દરેક શહેરોમાં ચૈત્ર સુદ એકમ હિંદુઓ ના નવ વર્ષને વધાવવા સંગીત કલા દ્વારા ઊર્જા મેળવવા સાંસ્કૃતિક કાર્યક્રમ કરે છે. જેમાં ભક્તિ સંગીત, ભરત નાટ્યમ, કથક નૃત્ય, લાઈવ પેઇન્ટિંગ, આઝાદીના 75મા અમૃત મહોત્સવની ઉજવણી સંદર્ભે આઝાદી વિશે વક્તવ્ય, વગેરેની પ્રસ્તુતિ ભાવનગરના ખ્યાતનામ કલાકારો દ્વારા કરવામાં આવી હતી. તેમજ યોગ અને સૂર્યનમસ્કાર વિવિધ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યા હતા.

100થી વધુ બાળકોએ ભાગ લીધો
આ કાર્યક્રમમાં રાજેન્દ્રભાઈ અંધારિયા, નીતા ઉપાધ્યાય, શોભનાબેન દવે, રાજેશ્રીબેન પરમાર, વીણાબેન ગોહિલ ગીત – સંગીત, ઉન્નતિ દેસાઈ, વેદાંશી પુરોહિત, ઋતાલી ભટ્ટ, ધારાબેન દ્વારા કથક નૃત્ય તેમજ ભરતનાટ્યમ નૃત્ય – ઉત્કર્ષ ભટ્ટ એક પાત્રીય અભિનય – હર્ષવી કાપડિયા તેમજ મિશિકા કાપડિયા દ્વારા યોગની પ્રસ્તુતિ – રંગોળીમાં નીરૂપમાબેન ટાંક, ધૃતિબેન વ્યાસ – ચિત્રમાં- બિપીનભાઈ દવે, જગદીશભાઈ જોશી, દર્શનાબેન વડોદરીયા, નીરૂપામાબેન વગેરે કલાકારોએ ભાગ લીધો હતો.નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શિશિરભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠલ પ્રાથમિક શાળાના 100થી વધુ બાળકો એ અમુલભાઈ પરમારના સંચાલન હેઠળ સૂર્ય નમસ્કાર કર્યા હતા.

મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સમીરભાઈ વ્યાસે કર્યું હતું, આ ઉપરાંત દિલીપભાઈ દવે, નીતિનભાઈ દવે તેમજ ભરતભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ જસુખભાઈ પટેલ, પરેશભાઈ રાવલ, સુરેશભાઇ ભટ્ટ, રમેશભાઈ ગોહિલ, દિનેશભાઈ ત્રિવેદી, નીતાબેન સહિતના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

