Sunday, April 23, 2023

અમદાવાદમાં વિવિધ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાર્થી બપોરે 1 વાગ્યે પહોંચ્યા, હોલ ટિકિટ અને પેન લઈને જ પ્રવેશ અપાયો | At various examination centers in Ahmedabad, examinees reached at 1 pm, were admitted only with hall tickets and pens | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

આજે રાજ્યમાં TET-2ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર આ પરીક્ષા યોજવાની છે. બપોરે ત્રણ વાગ્યા પરીક્ષા યોજવાની છે ત્યારે મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ પરીક્ષા બપોરે 1:00 વાગ્યાથી પરીક્ષાર્થીઓ કેન્દ્ર પર પહોંચ્યા હતા. પરીક્ષા આપવા આવેલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે કેટલા સમયથી મહેનત કરી રહ્યા હતા અને આજે પાંચ વર્ષ બાદ પરીક્ષા યોજાવાની છે. બપોરે 2.10 વાગ્યાથી પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. પરીક્ષા કેન્દ્રમાં જે પણ પરીક્ષાર્થી બેગ, પાણીની બોટલ વગેરે લઈને આવ્યા હોય તેને બહાર મુકાવી દીધી હતી. માત્ર હોલ ટિકિટ અને પેન લઈને જવા દેવામાં આવ્યા હતા.

પરીક્ષાર્થીઓની પરીક્ષા માટે પૂરતી તૈયારી
અમદાવાદમાં ઉતર ગુજરાતના બનાસકાંઠાના પરીક્ષાર્થીઓનો નંબર ફાળવાયો છે. જો કે, પરીક્ષાનો સમય બપોરે 3 થી 5નો હોવાથી પરીક્ષાર્થીઓ ગરમીમાં હેરાન થવું પડ્યું છે. પરીક્ષા કેન્દ્રો પર બહાર વિધાર્થીઓ માટે પાણીની વ્યવસ્થા પણ જોવા મળી નહોતી. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાથી પરીક્ષા આપવા આવેલા હરજીવનભાઈએ જણાવ્યું હતું કે, આજે પરીક્ષા આપવા માટે આવ્યા છે અને તેઓની ખૂબ જ સારી તૈયારી છે. તેઓની જે પણ ભાષાના વિષયો છે તે તૈયાર કર્યા છે અને તેઓની એકંદરે સારી તૈયારી છે પરીક્ષાની યોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

ગેરરીતિ કે ચોરીની ઘટના ન બને તેની પૂરતી તકેદારી રખાશે
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આજે TET-2ની પરીક્ષા છે, બપોરે ત્રણ વાગ્યાથી પરીક્ષા શરૂ થશે. જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. આ પરીક્ષા દરમિયાન કોઈ કોપીકેસ, ગેરરીતિ કે ચોરીની ઘટના ન બને તેને લઈને પૂર્ણ રીતે તકેદારી રાખવામાં આવી રહી છે. સફળ આયોજન છતાં TET-2માં કોઈ ઉમેદવાર મોબાઈલ સાથે પકડાય તો તેની સામે પોલીસ ફરિયાદ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. સાથે જ જો કોઈ પરીક્ષાર્થી પાસેથી ગેરરીતિને લગતું સાહિત્ય મળી આવે તો તેની સામે પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવનાર છે.

એકસરખા નામ ધરાવતા પરીક્ષા કેન્દ્ર માટે અલગ વ્યવસ્થા
આજે પરીક્ષા પહેલા અમદાવાદની એક સરખી નામ ધરાવતી કેટલીક સ્કૂલોના પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. ત્યારે જે પણ સ્કૂલોમાં એક સરખી નામ ધરાવતા હતા. ત્યાં બહાર અગત્યની સુચનાના બોર્ડ મારવામાં આવ્યા હતા અને જે બેઠક વ્યવસ્થા ના હોલ ટિકિટ નંબર હતા તેની સૂચના લખેલી હતી. જે વિદ્યાર્થીને જે બેઠક નંબર ફાળવવામાં આવ્યા છે તે જ બેઠક નંબરના લોકોએ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપવાની રહેશે જેથી વિદ્યાર્થીઓએ લગાવેલી બેઠક વ્યવસ્થાને તપાસ કરી અને ત્યારબાદ જ પરીક્ષા આપવા માટે ગયા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: