Sunday, April 2, 2023

આણંદમાં 10 એપ્રિલથી 22 એપ્રિલ દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરી શકાશે, તાલુકા કક્ષાએ હેલ્પલાઈન નંબર જાહેર કરાયા | Online form can be filled in Anand from April 10 to April 22, helpline numbers announced at taluka level | Times Of Ahmedabad

આણંદએક કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

આણંદ જિલ્લાનાં વાલીઓ માટે સારા સમાચાર આવ્યા છે.તેજસ્વી વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં શિક્ષણ ઈચ્છતા વાલીઓ માટે સરકારે પ્રવેશ ફોર્મ ભરવા તારીખો જાહેર કરી છે.જે મુજબ આણંદની ખાનગી (બિનઅનુદાનિત) પ્રાથમિક શાળાઓમાં નબળા અને વંચિત જૂથના બાળકોને આગામી શૈક્ષણિક વર્ષ 2022-23 માં આર.ટી.ઇ. (રાઇટ ટુ એજયુકેશન) હેઠળ ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવનાર છે. આર.ટી.ઇ. એકટ હેઠળ પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તેઓએ ઓનલાઇન https://rte.orpgujarat.com વેબસાઈટ ઉપર ફોર્મ ભરવા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા જણાવાયું છે.

મહત્વનું છે કે આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા વાલીઓએ તા.10એપ્રિલ 2023થી તા.22 એપ્રિલ 2023સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મ ભરવા અંગેની જરૂરી તમામ વિગતો https://rte.orpgujarat.com વેબસાઇટ ઉપર મૂકવામાં આવી છે. ધોરણ-1માં પ્રવેશ આપવા અંગેની તમામ પ્રક્રિયા ઓનલાઇન જ કરવાની રહે છે. વાલીએ ઓનલાઇન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવાઓ જેવાં કે, જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ,કેટેગરીનો દાખલો તેમજ આવકનો દાખલો વગેરે ઓનલાઇન અપલોડ કરવાના હોય છે. જયારે ઓનલાઇન ભરેલ ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેતી હોય છે. આ ઓનલાઇન ભરેલ ફોર્મની જે પ્રિન્ટ કાઢવામાં આવી હોય તે ફોર્મ કયાંય જમા કરાવવાનું રહેતી નથી.

આ અંગે આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા જણાવાયું છે કે આર.ટી.ઇ.એકટ હેઠળ કોઇ મૂંઝવણ હોયતો જિલ્લા કક્ષાએ શરૂ કરવામાં આવેલ હેલ્પલાઇન નંબર-02692-263205 ઉપર તેમજ તાલુકા કક્ષાના હેલ્પલાઇન નંબર પર આણંદ તાલુકા માટે સુભાષ પટેલ મો.8128667949 ઉપર, ઉમેરઠ તાલુકામાં સંજય પટેલ 9428223949, બોરસદ તાલુકામાં કનુભાઇ પટેલ મો.9265317904 , આંકલાવ તાલુકામાં નવજયોતસિંહ ચૌહાણ મો.9898829108, પેટલાદ તાલુકામાં મયુર પટેલમો.7600668774, સોજિત્રા તાલુકામાં ભરતભાઇ પટેલ મો.7600026633, ખંભાત તાલુકામાં મનોજભાઇ મારવાડીના મો.9601290514 અને તારાપુર તાલુકામાં મહેશકુમાર પરમારના મો.7359183502 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

શું છે આર.ટી.ઈ.એક્ટ ?
ગુજરાતના ગરીબ અને વંચિત જૂથના બાળકોને ખાનગી સ્કૂલોમાં ફરજીયાત શિક્ષણ અધિનિયમ લાગુ કરવામાં આવ્યો છે જેમાં ગરીબ અને વંચિત જૂથના બાળકોને ખાનગી શાળાઓમાં શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર આપવામાં આવે છે. દેશના દરેક બાળકને શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર છે જેથી ખાનગી શાળાઓમાં કેટલીક બેઠકો RTE હેઠળના બાળકો માટે અનામત રાખવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: