Monday, April 24, 2023

લીંબડીમાં 10,000થી વધુ વર્ષીતપના તપસ્વીઓના ભાવ વધામણા, આજ સુધી જૈનસંઘમાં કરોડો તાપશ્વિઓએ કર્યો છે 400 દિવસનો વર્ષીતપ | Appreciation of more than 10,000 year-long ascetics in Limbdi, till date crores of ascetics in Jain Sangh have performed 400 days of year-long fast. | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર22 મિનિટ પહેલા

  • કૉપી લિંક

લીંબડીમાં જૈનાચાર્ય રશ્મિનસૂરિજીની શત્રુંજય ભાવયાત્રામાં જૈન સંઘ લીન બન્યો. દીક્ષા દાનેશ્વરી ગુરુ તથા 10,000થી વધુ વર્ષીતપના તપસ્વીઓના ભાવ વધામણા થયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમા દીક્ષા દાનેશ્વરી આચાર્ય ગુણરત્નસૂરીશ્વરજી મહારાજના મહાવિદેહ પ્રતિષ્ઠા રથ સાથે આજીવન ગુરુગુણ ચરણોપાસક આચાર્ય રશ્મિરત્નસૂરિજી મહારાજ, પ્રેન્યાસ જીતરત્નવિજયજી મહારાજ પ્રન્યાસ સૌમ્યાગરત્નવિજય મહારાજ તથા જેમની દીક્ષાએ વિશ્વમાં જૈન ધર્મનો ડંકો વગાડ્યો એવા દિલ્હીના ઉદ્યોગપતિમાંથી જૈન મુનિરાજ બનેલા મુનિ રાજની ભવ્યરત્નવિજયજી મહારાજ આદિ 15 સાધુ ભગવંતોની પધરામણી થતા જૈનસંઘમાં લાગણીનું પૂર ઉમટ્યું હતુ.

જેમાં નવનિર્મિત વિશાળ ઉપાશ્રયમા અક્ષયતૃતીયાના મંગળ દિવસે પૂ.આચાર્ય ભગવંતે શ્રી શેત્રુંજય ગિરિરાજની સંગીતમય ભાવયાત્રા કરાવી હતી. જેમાં જૈન સમાજ લિન બન્યો હતો. પૂજ્ય ગુરુદેવશ્રીએ શેત્રુંજય મહાતીર્થની અનેક અવનવી વાતો સંભળાવી સોને ભાવ વિભોર કર્યા હતા.

દિક્ષાદાનેશ્વરી આચાર્ય તથા 10,000થી વધુ વર્ષીતપના તપશ્વીઓના ભાવ વધામણાં થયા હતા. મુનિરાજ શ્રી ભવ્યરત્ન વિજયજીએ કહ્યું કે, ભગવાન આદીનાથે દિક્ષા લઈ 400 સળંગ ઉપવાસ કર્યા હતા. અને હસ્તિનાપુરમાં પૌત્ર શ્રેયાંસકુમારના હાથે નિર્દોષ ઈક્ષરસુથી પારણું કર્યું હતુ. અસંખ્ય વર્ષો પૂર્વે થયેલી આ ઘટનાના અનુકરણરૂપે આજ સુધી જૈનસંઘમાં કરોડો તાપશ્વિઓએ એકાંતરે ઉપવાસ કરી 400 દિવસનો વર્ષીતપ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: