Friday, April 21, 2023

વલસાડ જિલ્લામાં આજે નવા 11 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 66 પર પહોંચ્યો | 11 new cases were reported in Valsad district today, taking the number of active cases to 66 | Times Of Ahmedabad

વલસાડ10 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પ્રતીકાત્મક તસવીર

રાજ્યમાં અને વલસાડ જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને લઈને વલસાડ જિલ્લાનું આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે. ગઈ કાલે વલસાડ જિલ્લામાં સામાન્ય લક્ષણ ધરાવતા 821 દર્દીઓએ RTPCR ટેસ્ટ કરાવ્યા હતા. પૈકી 11 જેટલા કોરોના સંક્રમિત દર્દીઓ આજે જાહેર થયા હતા. જેને લઈને વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. જે પૈકી વલસાડ તાલુકામાં 2, પારડી તાલુકાના 4, વાપી તાલુકામાંથી 1, ઉમરગામ તાલુકામાંથી 3 અને ધરમપુર તાલુકામથી 1 મળી કુલ 11 કોરોના સંક્રમિત દર્દીઓ જિલ્લા આરોગ્ય વિભાગે જાહેર કર્યા હતા. અગાવ કોરોના સંક્રમિત જાહેર થયેલા દર્દીઓ પૈકી 12 કોરોના સંક્રમિત દર્દીએ કોરોનાને માત આપી છે. જેની સાથે એક્ટિવ કેસનો આંક વધીને 66 ઉપર પહોંચ્યો છે.

રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને રાજ્ય આરોગ્ય વિભાગે રાજ્યના તમામ જિલ્લાની આરોગ્ય વિભગની ટીમને એલર્ટ કરવામાં આવી હતી. જેને લઈને વલસાડ જિલ્લા કલેક્ટરે જિલ્લામાં રહેતા તમાAમ લોકોને કોરોના સામે તકેદારીના ભાગ રૂપે સામાન્ય લક્ષણ ધરાવતા લોકોને સમયસર નજીકના RTPCR ટેસ્ટિંગ સેન્ટર ઉપર ટેસ્ટ કરવી લેવા અપીલ કરવા આવી હતી. ગઈ કાલે વલસાડ જિલ્લામ 821 લોકોને કોરોનાના સામાન્ય લક્ષણો જણાઈ આવતા તેમણે નજીકના RTPCR ટેસ્ટિંગ સેન્ટર ઉપર ટેસ્ટ કરાવ્યા હતા. આજ રોજ વલસાડ તાલુકામાં 2, પારડી તાલુકાના 4, વાપી તાલુકામાંથી 1, ઉમરગામ તાલુકામાંથી 3 અને ધરમપુર તાલુકામથી 1 મળી કુલ 11 કોરોના સંક્રમિત દર્દીઓ જિલ્લા આરોગ્ય વિભાગે જાહેર કર્યા હતા. જેને લઈને વલસાડ જિલ્લાનું આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. જિલ્લામાં સંક્રમિત જાહેર થયેલા દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી અને કોન્ટેક હિસ્ટ્રી મેળવી દર્દીઓને સંપર્કમાં આવેલા લોકોની યાદી બનાવી તેમને કોરોના અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે. આજે છેલ્લા 7 દિવસથી હોમ આઈસોલેશનમાં સારવાર મેળવી રહેલ 12 દર્દીએ આજે કોરોનાને માત આપી જિંદગીની જંગ જીત્યા હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગે જણાવ્યું છે. સાથે સંક્રમિત જાહેર થયેલા દર્દીઓ પૈકી પારડી પોલીસ લાઈનમાં રહેતી મહિલા સંક્રમિત જાહેર થઈ હતી. તેમની ભાવનગરની ટ્રાવેલ હિસ્ટ્રી મળી આવી છે. સાથે પારડી તાલુકામાં રહતે બ્રાહ્મણ પરિવારના જ્યોતિષ અને ગોરપદુ કરતા બ્રાહ્મણની પત્ની સંક્રમિત જાહેર થઈ હતી. વલસાડ જિલ્લા આરોગ્ય વિભગ દ્વારા સંક્રમિત દર્દીઓની સંપર્ક હિસ્ટ્રી મેળવી કોરોના સંક્રમણ અટકાવવા પ્રયાસ હાથ ધર્યો છે.

વલસાડ જિલ્લાના DDOએ મનીષ ગુરવાનીએ વલસાડ જિલ્લાના લોકોને કોરોના સંક્રમણ સામે તકેદારી રાખવા અપીલ કરી છે. સાથે સામાન્ય લક્ષણો ધરાવતા લોકોને નજીકના ટેસ્ટિંગ સેન્ટર ઉપર RTPCR ટેસ્ટિંગ કરવી લેવા અપીલ કરી છે. તેમજ હોમ કોરેન્ટાઇન થયેલા દર્દીઓને ફરજિયાત કોવિડને નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: