પાટણ9 મિનિટ પહેલા
- કૉપી લિંક

પાટણ શહેરના નાનીસરાય મહોલ્લાના રહીશો દ્વારા શ્રી શ્રી હરિ 1008 મહાયોગેશ્વર રામપુરી મહારાજની 111મી પૂણ્યતિથિ નિમિત્તે સત્સંગ, ભજન કીર્તન સહિતના ભકિતમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નાનીસરા કૃષ્ણ મંદિર ખાતેથી વાજતેગાજતે શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો, સેવકો ઉત્સાહભેર જોડાયા હતા. શોભાયાત્રા શહેરના મુખ્ય બજાર માર્ગ સહિત વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ નિજ મંદિરે પરત આવી હતી. સમસ્ત નાનીસરા પરિવાર તરફથી ગુરૂજીના નિર્વાણ દિને આરતી તેમજ ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. નિર્વાણદિન નિમિત્તે સવારે મહંત 1008 પાલી મારવાડ (રાજસ્થાન)ના ગાદીપતિ પરમાનંદજી બાપુના ફોટાનું સામૈયું ભીખનશાપીર મંદિરથી રાધાક્રુષ્ણ મંદિર નાનીસરા ખાતે રાખવામાં આવ્યું હતું. રામપુરી બાપુની શોભાયાત્રા રાધાકૃષ્ણ મંદિર નાનીસરાથી નીકળી મોટીસરા ચોક, પંચાસરા, દોશીવટ બજાર, ત્રણ દરવાજા, શારદા સિનેમા, ગુજરવાડા થઇ નીજ મંદિરે પરત ફરી હતી.
