- Gujarati News
- Local
- Gujarat
- Junagadh
- 18 Lakhs Embezzlement Complaint Against 12 Including The Then President member Of Kalsari Co operative Society, Scam By Creating False Access
જુનાગઢએક કલાક પહેલા
- કૉપી લિંક
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આવેલા કાલાસરી ગામની સહકારી મંડળીમાં હિસાબી અનિયમિતતા અને ગેરરીતિના કારણે ફડચામાં લઈ જવાનો આદેશ કરાયો છે. હવે આ મામલે મંડળીના તત્કાલીન પ્રમુખ-મંત્રી અને પૂર્વ મંત્રી સહિત 12 લોકો સામે 18 લાખની ઉચાપતની ફડચા અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ખેડૂતોએ લીધેલું ધિરાણ જ્યારે પરત કરવામાં આવે ત્યારે ખેડૂતો પાસેથી રકમ મેળવી આરોપીઓ ખોટી પહોંચ અને ખોટા નો ડ્યુ સર્ટિ આપી દેતા હતા. ખેડૂતો પાસેથી મળેલી રકમ જમા કરાવતા ન હતા. ધિરાણની રકમ જમા કરાવનારા ખેડૂતો પાસેથી જ્યારે બાકીની ઉઘરાણી નીકળતા સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું.

12 લોકો સામે 18 લાખની ઉચાપતની ફરિયાદ
વિસાવદરની કાલસારી સહકારી મંડળીમાં ઉચાપતનો મામલો પ્રકાશમાં આવ્યા બાદ જૂનાગઢ જિલ્લા સહકારી બેંક વિસાવદર શાખાના મેનેજર અને મંડળીના ફડચા અધિકારીએ વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં કાલસારી સેવા સહકારી મંડળીના તત્કાલીન પ્રમુખ મધુભાઈ જીવાભાઈ પદમાણી, તેમજ મંડળીની કમિટીના તત્કાલીન સભ્યો કિરીટ બચુભાઈ ગોળ, રમેશ ભીખાભાઈ કિકાણી, ધીરુભાઈ પ્રેમજીભાઈ ઠુંમર, બાબુભાઈ ધનજીભાઈ વઘાસીયા, ગાંડુભાઈ મોહનભાઈ ચાવડા, મણીભાઈ માયાભાઈ સરધારા, વિનુભાઈ મોહનભાઈ વઘાસીયા, દુર્લભભાઈ લાધાભાઇ ભાલીયા, છગનભાઈ લવાભાઇ વઘાસીયા, સંજયભાઈ છગનભાઈ વઘાસીયા, નકુલભાઈ ધીરજલાલ ઠુંમર સામે ફરિયાદ આપવામાં આવી છે.

કઈ રીતે આચરવામાં આવ્યું કૌભાંડ?
સહકારી બેંક સાથે જોડાયેલી સેવા સહકારી મંડળીઓએ ખેડૂતને ખેતીવાડીના પાક માટે ધિરાણ પૂરું પાડવાનું હોય છે.વિસાવદર તાલુકાની કાલસારી સેવા સહકારી મંડળીના વ્યવસ્થાપક કમિટીના તત્કાલીન 10 સભ્યો પૈકીના સંજય વઘાસિયા 2018-19માં મંત્રી તરીકે ફરજ બજાવતા હતા. તેને પોતાના અંગત ફાયદા માટે ખેડૂતોએ ચૂકવેલા નાણા પરત મંડળી કે બેંકમાં જમા કરાવ્યા ન હતા અને 6 લાખ 77 હજાર 804 રૂપિયાની ઉચાપત કરી હતી. જે ખેડૂતોએ નાણા જમા કરાવ્યા હતા તેઓને ખોટી પહોંચ ઉભી કરી આપી દેવામાં આવી હતી.આ બાબતની જે તે સમયે જાણ થતા તેને ફરજ પરથી મુક્ત કરી નવા મંત્રી તરીકે નકુલ કુમાર ધીરજલાલ ઠુંમર ની નિમણૂક કરવામાં આવી હતી..જેના કાર્યકાળ દરમિયાન પણ 2021-22 માં 12,19, 059 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી ..

12 સામે ફરિયાદ, 9ની ધરપકડ
આરોપીઓએ મિલિભગત કરી ખેડૂતોએ જમા કરાવેલી ધિરાણની રકમ મેળવી ખોટી પહોંચ આપી હતી. જે રકમ મળી હતી તે બેંક કે મંડળીમાં જમા કરાવી ન હતી. ગેરરીતિ સામે આવ્યા બાદ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી ંમડળી દ્વારા ફડચામાં લઈ જવાનો આદેશ કરાયો છે. આ મામલે ફડચા અધિકારી દ્વારા 12 લોકો સામે 18 લાખની ઉચાપતની પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ વિસાવદર પોલીસે 9 લોકોની ધરપકડ કરી છે. જ્યારે ત્રણ લોકોની શોધખોળ હાથ ધરી છે.