Tuesday, April 18, 2023

વલસાડ જિલ્લામાં આજે નવા 14 કેસ નોંધાયા, 11 દર્દી ડિસ્ચાર્જ થતા એક્ટિવ કેસનો આંક 81 પર પહોંચ્યો | 14 new cases were reported in Valsad district today, 11 patients were discharged taking the number of active cases to 81. | Times Of Ahmedabad

વલસાડ9 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પ્રતીકાત્મક તસવીર

વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમ્યાન 725 RTPCR ટેસ્ટ પૈકી 14 દર્દીઓ આજે સંક્રમિત જાહેર થયા છે. તે પૈકી તમામ દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર મેળવી રહ્યા છે. જ્યારે 11 દર્દીઓએ કોરોનાને માત આપી જિંદગીની જંગ જીત્યા હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગે જણાવ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

વલસાડ જિલ્લામાં વધી રહેલા સંક્રમણને અટકાવવા રાજ્ય આરોગ્ય વિભાગની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતા લોકોને સમયસર નજીકના RTPCR ટેસ્ટ સેન્ટર ઉપર ટેસ્ટિંગ કરાવવા સૂચના આપવામાં આવી હતી. છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લામાં 725 લોકોએ RTPCR ટેસ્ટ કરાવ્યા હતા. જે વલસાડ જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં આવેલી લેબમાં ટેસ્ટ કરાવવા આવતા વલસાડ તાલુકામાંથી 5, પારડી તાલુકામાંથી 4, વાપી 4 અને ઉમરગામ તાલુકામાંથી 1 મળી કુલ 14 કોરોના સંક્રમિત દર્દીઓ જાહેર થયા હતા. સંક્રમિત દર્દીઓ પૈકી તમામ દર્દીઓ જિલ્લા આરોગ્ય વિભગની સૂચના મુજબ હોમ કોરેન્ટાઇનમાં સારવાર લેવાનું પસંદ કર્યું હતું. સંક્રમિત જાહેર થયા દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી અને હાઈ રિસ્ક કોન્ટેક હિસ્ટ્રી મેળવી વિસ્તારમાં જાગૃતિ અભિયાન શરૂ કરીને સંક્રમણ અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

7 દિવસ પહેલા સંક્રમિત જાહેર થયેલા દર્દીઓ પૈકી 11 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જેની સાથે વલસાડ જિલ્લામાં એક્ટિવ કેસનો આંક વધીને 81 ઉપર પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: