અમદાવાદ38 મિનિટ પહેલા
- કૉપી લિંક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્મશાનગૃહોમાં મૃતકોની અંતિમ વિધિ માટે લાકડા પુરા પાડવાથી લઈને સંચાલન સુધીની કામગીરી માટે જયશ્રીકૃષ્ણ સેવા સંઘ અને સંભવ સેવા સંઘના નામની સંસ્થાને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. સ્મશાન ગૃહોમાં આ સંસ્થાઓ દ્વારા જે અંતિમવિધિ માટે લોખંડની ધોડીઓ રાખવામાં આવી છે તેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની જાણ બહાર જ ડિઝાઇન બદલી અને ઓછા લાકડા વપરાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. સ્મશાનગૃહમાં આવી ખુબ જ ફરિયાદો મળતાં અત્યાર સુધીમાં 15 નોટિસો આપી છે. જેની સંસ્થાઓ દ્વારા અવગણના કરાઈ છે. સંસ્થાઓને બ્લેકલીસ્ટ કરવા બાબતે તંત્ર દ્વારા બે વાર દરખાસ્ત હેલ્થ કમિટીમાં મૂકી છતાં સત્તાધારી ભાજપની માનીતી સંસ્થા હોવાના કારણે બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્તને પરત કરી દેવામાં આવી છે.
વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે સંસ્થાઓને 15 વાર નોટીસો આપેલી હોય તથા બે વાર બ્લેકલીસ્ટ કરવાનું કામ આવ્યુ હોય તેવી વિવાદીત અને ખરડાયેલ સંસ્થાઓને સત્તાધારી ભાજપ દ્વારા શા માટે છાવરવામાં આવે છે ? કોંગ્રેસ પક્ષ દ્વારા માંગણી કરવામાં આવે છે કે આ બંને સંસ્થાઓને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવામાં આવે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરમાં મૃતકોની અંતિમવિધી માટે કુલ 24 સ્મશાનગૃહોનું સંચાલન કરવામાં આવે છે. તે સ્મશાનગૃહોમાં મૃતકની અંતિમવિધી માટે લાકડા પણ પુરા પાડવામાં આવે છે તે લાકડા પુરા પાડવા માટે જયશ્રી કૃષ્ણ સેવા સંઘ અને સમભાવ સેવા સંઘનામની સંસ્થાઓને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. દરેક સંસ્થાઓને 12 સ્મશાનગૃહોમાં લાકડા પુરા પાડવાનો કોન્ટ્રાકટ મળ્યો છે. કોન્ટ્રાકટરો દ્વારા પ્રતિ વ્યક્તિ રૂ. 799 ચાર્જ વસુલ કરવામાં આવે છે. જ્યારે ખરેખર તો કોન્ટ્રાકટની શરત મુજબ એક મૃતકની અંતિમવિધી માટે અંદાજે 240થી 280 કિલો લાકડા પુરા પાડવાના હોય છે.
સંસ્થાઓ દ્વારા અંતિમવિધી માટે લોંખડની ઘોડી સંસ્થાઓ દ્વારા સાંકડી બનાવીને મૃતકની અંતિમવિધી કરવામાં આવી આવે છે. જેને કારણે અંદાજે માત્ર 100થી 125 કિલો લાકડા વપરાય છે. બંને સંસ્થા દ્વારા પુરા લાકડા બતાવી પ્રજાજનો પાસેથી પુરેપુરા નાણાં પડાવીને ભષ્ટ્રાચાર કરવામાં આવે છે તેમજ બી.પી.એલ. કાર્ડધારક પાસેથી લાકડાના માત્ર રૂ 360 જ લેવાના હોય છે તેમ છતાં તેઓ પાસેથી પણ પુરા નાણાં પડાવાય છે જેથી તે સંસ્થાઓ દ્વારા અંત્યત ગરીબ પછાત લોકોને પણ છોડયાં નથી