- Gujarati News
- Local
- Gujarat
- Mahisagar
- A Total Of 158 Questions Were Answered Positively In The Welcome Program Of Khanpur And Virpur; Over 20 Years, Countless People Have Found Solutions
મહિસાગર (લુણાવાડા)43 મિનિટ પહેલા
- કૉપી લિંક

જાહેર જનતાના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ જ નિરાકરણ થઈ શકે તે માટે માનનિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેઓના મુખ્યમંત્રીકાળ દરમિયાન શરૂ કરાયેલા સ્વાગત કાર્યક્રમને 20 વર્ષ થઈ ગયા છે. આ 20 વર્ષમાં અસંખ્ય લોકોએ સ્વાગત કાર્યક્રમ થકી પોતાની મુશ્કેલીઓનું સ્થાનિક કક્ષાએથી જ નિરાકરણ મેળવ્યું છે. હાલમાં રાજ્ય સરકાર દ્વારા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજરોજ મહીસાગર જિલ્લાના ખાનપુર ખાતે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને અને વીરપુર તાલુકામાં જિલ્લા વિકાસ અધિકારીનાં અધ્યક્ષ સ્થાને ગ્રામ્ય અને તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહીસાગર જિલ્લાના ખાનપુર અને વિરપુર તાલુકામાં મામતલદાર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીનાં અધ્યક્ષતામાં આયોજીત તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આજરોજ કુલ 158 જેટલી અરજીઓનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું છે. જેમાં તાલુકા સ્વાગતના કુલ 36 પ્રશ્નો અને ગ્રામ સ્વાગતના કુલ 122 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તમામ પ્રશ્નોનું સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

જિલ્લામાં આજરોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ હેઠળ વિવિધ વિભાગો માટેની કુલ 158 ફરિયાદો હતી. આ તમામ ફરિયાદોના અરજદારઓને સંબંધિત વિભાગના અધિકારીઓની હાજરીમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સાંભળવામાં આવી હતી અને હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. હકારાત્મક નિકાલ થતા ખુશખુશાલ એવા અરજદારો સાથે વાત કરતા તેઓએ સરકારના સ્વાગત કાર્યક્રમનો તેમજ માનનનિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં અરજદારો સહિત તાલુકા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
