- Gujarati News
- Local
- Gujarat
- Narmada
- As The Historic Princely Ghat Of Rajpipla Is Becoming Dilapidated, A New Princely Looking Ovaro Will Be Constructed At A Cost Of 1.60 Crores.
નર્મદા (રાજપીપળા)4 કલાક પહેલા
- કૉપી લિંક

રાજપીપળા નગરનું એક જમાનાનું સૌથી મોટું આકર્ષણ અને ફરવાનું બેસવાનું એક સ્થળ હતું જે જર્જરિત થઈ જતાં લોકોની માગ ઉઠી હતી કે આ ઐતિહાસિક ઓવારાને નવીનીકરણ કરવામાં આવે, રાજપીપળાના મહારાણી રુક્મણી દેવીએ પણ કરજણ ઓવારો તૂટી જતાં રીપેર કરવા રજૂઆત કરી હતી. જે ઘડી આજે આવી અને વર્ષો બાદની માંગણીને પાલિકાના યુવા પ્રમુખે મંજુર કરાવી આ ઓવારાનું ખાતમુહૂર્ત થયું. હવે જર્જરિત ઓવરાને તોડી 1.60 કરોડના ખર્ચે નવો રજવાડી લૂકવાળો નવો ઓવારો બનવવામાં આવશે. જેનું ખાતમુહૂર્ત સાંસદ મનસુખ વસાવા, ગીતાબેન રાઠવા અને ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખના હસ્તે ખાતમુહૂર્ત કરવમાં આવ્યું હતું. જેમની સાથે પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, મુખ્ય અધિકારી રાહુલદેવ ઢોળીયા ઉપ પ્રમુખ હેમંત માછી, કારોબારી અધ્યક્ષ સપના વસાવા, પૂર્વ પ્રમુખ ભરતભાઈ વસાવા, ભાજપ શહેર પ્રમુખ રમણસિંહ રાઠોડ સહીત આગેવાનો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા.

રાજપીપળા શહેર કરજણ ઓવારા કિનારે વસેલું છે અને કરજણ નદી કિનારે 400 વર્ષો પહેલા મહારાજા દ્વારા આ વિશેષ પથ્થરો દ્વારા બનાવવામાં આવ્યો હતો. જે બનાવવાથી એક પ્રવસન ધામ તરીકે આ વિસ્તાર વિકાસ પામ્યો હતો. કરજણ નદીમાં પુરની પરિસ્થિતિ આવતા અને સ્થાનિક કક્ષાએ મચ્છીમારી કરતાં ડિટૉર્નેટર ફોડતા આ ઐતિહાસિક ઓવારો જર્જરિત બન્યો હતો અને સંપૂર્ણ ધોવાઈ ગયો છે. ત્યારે પાલિકાએ લોકમાંગને ધ્યાને રાખી દરખાસ્ત મુકતા જે મંજુર થઈ છે અને આ કરણજણ ઓવારો પુનઃ બનવા જઈ રહ્યો છે. ત્યારે આ ઓવારો બનવાથી એક સુંદર સ્થળ બનશે અને કરજણ રિવરફ્રન્ટ પણ બનશે. તો રાજપીપળાની કાયાપલટ થઈ જશે. નવો ઘાટ બન્યા બાદ જે હાલ તો ડિટૉર્નેટરથી માછીમારી કરવાની કામગીરી બંધ છે, પરંતુ જે આગામી દિવસોમાં ચાલુ ના થાય તેની કાળજી રાખવા કાયમી ધોરણે કરજણ ઓવારે માછીમારી કરવા પર પ્રતિબંધ કરવું અને કપડાં ધોવા, કે પુષ્પ પૂજાપો નાખવા પર પ્રતિબંધ ફરમાવું પડશે. તો સ્વચ્છતા જાવશે તો રોનક જળવાઈ રહેશે.


