- Gujarati News
- Local
- Gujarat
- Anand
- Property Worth Rs.1.80 Lakh Stolen In Bhadkad Village, Cash, Jewelery Stolen From Old House When Family Moved To New House
આણંદએક કલાક પહેલા
- કૉપી લિંક

સોજિત્રા તાલુકાના ભડકડ ગામમાં રહેતા કર્મકાંડી બ્રાહ્મણના ઘરમાં ત્રાટકેલા તસ્કરો દાગીના, રોકડ સહિત કુલ રૂ.1.80 લાખની મત્તા ચોરી ગયા હતા. આ અંગે સોજિત્રા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સોજીત્રાના ભડકડ ગામમાં આવેલા વાણીયાવાડમાં રહેતાં અને ફરિયાદી અલ્પેશકુમાર દવે કર્મકાંડની વિધિ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓના ગામમાં ત્રણ મકાન આવેલા છે. તેઓ 20મી એપ્રિલ,23ના રોજ રાત્રિના આશરે સવા અગિયાર વાગ્યાના આસપાસના સમયે તેઓ પોતાના પરિવાર સાથે સુવા માટે સામેના મકાનમાં ગયાં હતાં. તેઓ રહેતાં હતાં તે મકાનમાં દાગીના, રૂપિયા તથા કર્મકાંડની આવેલી વસ્તુઓ તિજોરીમાં મુકી તે તિજોરીને તાળું તથા મકાનને તાળું મારીને સામેના મકાનમાં એ.સી. લગાવેલું હોવાથી ત્યાં સુવા માટે ગયાં હતાં.
આ દરમિયાન તકનો લાભ લઈને તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી બંધ મકાન જાળીનો નકુચો તથા મુખ્ય દરવાજનો નકુચો તોડી અંદર પ્રવેશી લાકડાના કબાટમાં તથા તિજોરીમાં મુકેલા બુટ્ટી નંગ એક (અડધા તોલાની), સોનાની વીંટી નંગ એક (એક તોલાની), ચુડા નંગ એક (અડધા તુલના), સોનાનો દોરો નંગ (એક તોલાનો) મળી સોનું ત્રણ તોલા જેની કિંમત રૂપિયા 1.20 લાખ તથા તિજોરીમાં મુકેલા રોકડા રૂપિયા 50 હજાર તેમજ કર્મકાંડમાં આવેલ ચાંદીની ગાય તેમજ અન્ય ચાંદીની વસ્તુઓ 300 ગ્રામ કિંમત રૂપિયા 10 હજાર મળી કુલ રૂપિયા 1.80 લાખની મતાની ચોરી કરી નાસી ગયાં હતા. વ્હેલી સવારના આશરે સવા પાંચ વાગ્યાના સમયે અલ્પેશકુમાર દવે જાગીને તેમના સામેના ઘરમાં જોતા મકાનનો જાળીનો નકુચો તથા મુખ્ય દરવાજો નકુચો તૂટેલો હતો. જેથી, તેઓએ તપાસ કરતાં મકાનનો સર સામાન વેરવિખર હતો અને મકાનમાંથી ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી, અલ્પેશકુમાર દવેએ સોજીત્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ચોરીનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.