સુરેન્દ્રનગર8 કલાક પહેલા
- કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર
સુરેન્દ્રનગર જિલ્લામાં આજે સાયલા ગ્રામ્યમાં 3 અને થાનગઢ ગ્રામ્યમાં 1 કેસ સહિત કુલ 4 કોરોનાના કેસ નોંધાયા હતા. આમ જિલ્લામાં 77માંથી 58 દર્દી સાજા થતા 19 એક્ટીવ કેસ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તા.16 એપ્રલિને રવિવારે માત્ર 2 આરટીપીસીઆર ટેસ્ટ જ કરવામા આવ્યા હતા.
જેમાં સાયલા ગ્રામ્યમાં 3 અને થાનગઢ ગ્રામ્યમાં 1 કેસ સહિત કુલ 4 કોરોનાના કેસ નોંધાયા હતા. આ દિવસે 1 દર્દી સાજો થતા જિલ્લામાં કુલ 77 કેસોની સામે 58 લોકો કોરોનામુક્ત બનતા 19 કેસ એક્ટિવ રહ્યા હતા. આ એક્ટિવ કેસમાં ચોટીલા-4, લીંબડી-3, મૂળી-4, સાયલા-3, થાનગઢ-1 અને વઢવાણ પંથકમાં 4 કોરોનાના એક્ટિવ કેસ રહ્યા હતા. આરોગ્ય તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ આ તમામ કોરોનાગ્રસ્ત દર્દીઓ હાલ હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે…