- Gujarati News
- Local
- Gujarat
- Mahisagar
- Buses Conducted By ST Department For Junior Clerk Exam In Mahisagar District; 20,130 Candidates From Other Districts Will Appear For The Exam
મહિસાગર (લુણાવાડા)4 કલાક પહેલા
- કૉપી લિંક
આવતી કાલે એટલે કે 9 એપ્રિલે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાનાર છે. ત્યારે પરીક્ષાર્થીઓ સરળતાથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા પરીક્ષાર્થીઓ માટે એસટી બસની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મહીસાગર જિલ્લામાં અન્ય જિલ્લામાંથી 20,130 ઉમેદવારો પરીક્ષા આપવા આવનાર છે. જ્યારે 23,345 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જનાર છે. જેથી ડેપો કક્ષાએ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. એડવાંન્સ બુકિંગ પ્રમાણે બસનું આયોજન છે. ઉપરાંત કોઈ બુકિંગ ન કરાવી શકયું હોય અને જરૂરિયાત ઊભી થાય તે પ્રમાણે પૂરતા પ્રમાણમાં બસની વ્યવસ્થા સ્ટેન્ડ બાય પર રાખવામાં આવેલ છે. કંટ્રોલ પોઈન્ટ પર 24 કલાક કર્મચારી ગોઠવીને એકસ્ટ્રા બસોનું સંચાલન થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.

આવતીકાલ રવિવારે યોજાનાર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક સંર્વગની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાનાર છે જેને લઈ એસ.ટી.વિભાગ દ્વારા બસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં મહીસાગર જિલ્લામાં રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી 20,130 પરિક્ષાર્થીઓ પરીક્ષા આપવા આવનાર છે. તેમજ મહીસાગર જિલ્લામાંથી અન્ય જિલ્લાઓમાં કુલ 23,345 પરિક્ષાર્થીઓ પરીક્ષા આપવા જનાર છે. મહીસાગર જિલ્લાના તમામ ડેપો પર શિડ્યુલ બસો ઉપરાંત એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં જરૂરિયાત સમયે એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે.

માહિસાગર જિલ્લામાં કુલ-52 પરીક્ષા કેન્દ્રો ઉપર કુલ 20,130 ઉમેદવારોની બેઠક વ્યવસ્થા કરવામાં આવેલ છે. સદર પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેની પુરતી તકેદારી રાખવામાં આવેલ છે. જેમાં ખાસ કરીને દરેક પરીક્ષા કેન્દ્રો ખાતે વર્ગખંડ, લોબી, સ્ટાફરૂમ, મુખ્યરૂમ વગેરે જગ્યાએ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવેલા છે. તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે બોર્ડ પ્રતિનિધિ તથા સીસીટીવી ઓબ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવેલી છે. જિલ્લામાં કુલ 16 ફલાઇંગ સ્કવોડની પણ રચના કરવામાં આવેલી છે. આમ મહિસાગર વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાની સલામતી માટેની પુરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે.

પરીક્ષાનું સંચાલન સફળતા પૂર્વક થાય, અસામાજિક તત્વોના ભય વગર ખંડ નિરીક્ષકો નિરીક્ષણ કાર્ય કરી શકે તથા પરીક્ષાર્થીઓ શાંતિમય અને સૌહાદપૂર્ણ વાતાવરણમાં નિર્ભયતા પૂર્વક તથા ગેરરીતિ કરવાના પ્રલોભનથી દોરવાયા વગર પરીક્ષા આપી શકે તે માટે પરીક્ષા કેન્દ્રો ખાતેના સ્થળોને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવા તથા પરીક્ષા શાંતિથી અને નિર્વિને પાર પડે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પરીક્ષા કેન્દ્રની આસપાસ CRPC એક્ટની કલમ-144 અન્વયે જરૂરી જાહેરનામાં તા. 31/03/2023ના રોજ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, જિ.મહીસાગર દ્વારા બહાર પાડવામાં આવેલા છે.