Tuesday, April 25, 2023

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વઢવાણ તાલુકામાં કોરોનાનો એક કેસ નોંધાયો, એક્ટિવ કેસની સંખ્યા 21 થઈ | In Surendranagar district, one case of corona was reported today in Wadwan taluka, the number of active cases increased to 21. | Times Of Ahmedabad

સુરેન્દ્રનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વઢવાણ તાલુકામાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જ્યારે આજે કોરોના પોઝિટિવના 2 દર્દીઓને રજા આપવામાં આવી હતી. આમ સુરેન્દ્રનગર જિલ્લામાં 101 માંથી 80 દર્દીઓ સાજા થતા 21 એક્ટિવ કેસ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તા.25 એપ્રિલને મંગળવારે 445 આરટીપીસીઆર અને 156 એન્ટીજન ટેસ્ટ મળી કુલ 601 કોરોના ટેસ્ટ કરવામાં કરવામાં આવ્યાં હતા.

જ્યારે આજે વધુ બે દર્દીઓને રજા અપાતા જિલ્લામાં કુલ 101 કેસોની સામે 80 લોકો કોરોનામુક્ત બનતા 21 કેસ એક્ટિવ રહ્યા હતા. આ એક્ટિવ કેસમાં ચોટીલા-4, લખતર 3, લીંબડી-2, મૂળી-5, સાયલા-2 અને વઢવાણ પંથકમાં 5 કોરોનાના એક્ટિવ કેસ રહ્યા હતા. આરોગ્ય તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ આ તમામ કોરોનાગ્રસ્ત દર્દીઓ હાલ હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે. આજે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે એક કેસ વઢવાણ ગ્રામ્યમાં નોંધાયો હતો. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સતર્ક રહેવાની સાથે ફરજિયાત માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી છે.

Related Posts: