પોરબંદર19 મિનિટ પહેલા
- કૉપી લિંક

થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે અવાર-નવાર રક્તની અછત ઉભી થતી હોય છે અને તેના માટે સામાજીક સંસ્થાઓ દ્વારા અવારનવાર રક્તદાન કેમ્પોના આયોજન પણ કરવામાં આવતી હોય છે. આમ છતાં પણ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે લોહીની જરૂરીયાત રહેતી હોય છે, ત્યારે અછત સમયે રક્તદાતાઓ મળવા પણ મુશ્કેલ હોય છે.

ત્યારે પોરબંદર બાલા હનુમાન ગ્રુપ દ્વારા નવતર પહેલ કરવામાં આવી છે. જેમાં બાલા હનુમાન ગ્રુપના 211 જેટલા સભ્યોએ બાલા હનુમાનજીની સાક્ષીએ આશા બ્લડ બેન્ક પોરબંદરને નામ અને નમ્બરનું લિસ્ટ અર્પણ કરી ખાતરી આપી છે કે, મહારક્તદાન કેમ્પના 3 મહિના બાદ ફરી જ્યારે રક્તની અછત ઉભી થશે. ત્યારે ગ્રુપના સભ્યો જરૂરીયાત પ્રમાણે લોહી આપશે.
નોંધનીય છે કે, હનુમાન જ્યંતી નિમિત્તે બાલા હનુમાન ગ્રુપ દ્વારા દર વર્ષે મેગા બ્લડ ડોનેશનમાં મોટી માત્રામાં રક્ત જૂદી-જૂદી બ્લડ બેન્કને આપવામાં આવે છે. આમ છતાં લોહીની અછત સર્જાતી હોવા છતાં આ નવતર પહેલ હાથ ધરવામાં આવી છે અને રક્તદાન કેમ્પના 3 માસ બાદ ફરીને બાલા હનુમાન ગ્રુપના રક્તદાતાઓ રક્ત આપશે તેવી ખાતરી આપવામાં આવી હતી.