- Gujarati News
- Local
- Gujarat
- Ahmedabad
- Three Patients Died In A Single Day Due To Corona In The State, 260 New Cases In The Last 24 Hours; Six Patients Are Currently On Ventilators
અમદાવાદ7 કલાક પહેલા
- કૉપી લિંક
રાજ્યમાં ફરી એકવાર કોરોના કેસમાં સામે આવી રહ્યા છે. તો બીજી તરફ કોરોનાનાં લક્ષણ ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવના કેસો પણ જોવા મળી રહ્યા છે. ત્યારે રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી એકવાર દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 260 કેસ નોંધાયા છે. જેની સામે 356 દર્દીઓ સાજા થયા છે અને હાલ છ દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. જો કે, આ સાથે રાજ્યમાં કોરોનાથી ત્રણ દર્દીના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 91 વર્ષના વૃદ્ધનું કોરોનાથી મોત થયું છે. રાજકોટમાં પણ 1 દર્દીનું મોત થયું છે. આ ઉપરાંત ભાવનગરમાં પણ 1 દર્દીનું મોત થયું છે.
રાજ્યમાં કોરોનાના કુલ 2056 એક્ટિવ કેસ
કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 2056 એક્ટિવ કેસ છે. જેમાંથી છ દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 2050 દર્દીઓ હાલ સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,71,580 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11060 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 83 કેસ
કોરોના કેસને લઇ જિલ્લા અને કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 83 કેસ નોંધાયા છે. 126 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારબાદ સુરતમાં નવા 36 કેસ સામે આવ્યા છે. જ્યારે વડોદરામાં 46 કેસ નોંધાયા છે. મોરબીમાં 21 કેસ સામે આવ્યા છે. ત્યારે મહેસાણામાં 10 કેસ નોંધાયા છે. રાજકોટમાં 9 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 8 કેસ સામે નોંધાયા છે. તેમજ ભરૂચમાં 6 કેસ, વલસાડમાં 6 કેસ, કચ્છમાં 4 કેસ મહીસાગરમાં 4 કેસ, સાબરકાંઠામાં 4 કેસ, સુરેન્દ્રનગરમાં 4 કેસ, બનાસકાંઠામાં 3 કેસ, ભાવનગરમાં 3 કેસ, જામનગરામાં 3 કેસ, આણંદમાં 2 કેસ, નવસારીમાં 2 કેસ નોંધાયા છે. આ ઉપરાંત અમરેલીમાં 1 કેસ, દાહોદમાં 1 કેસ, ગીર સોમનાથમાં 1 કેસ, જુનાગઢમાં 1 કેસ, ખેડામાં 1 કેસ અને પંચમહાલમાં 1 કેસ સામે આવ્યો છે.
એપ્રિલ મહિનામાં કોરોનાથી પાંચના મોત
04 એપ્રિલના અમદાવાદના બોપલમાં રહેતા 71 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. જેમને હાઇપર ટેન્શનની બીમારી હતી. ત્યારબાદ 06 એપ્રિલના ગોમતીપુરના 59 વર્ષીય યુવકનું મોત થયું હતું. ત્યારે આજે 08 એપ્રિલના એક જ દિવસમાં ત્રણ દર્દીના મોત થયા છે. જેમાં અમદાવાદમાં એક દર્દીનું મોત થયું છે. રાજકોટમાં પણ 1 દર્દીનું મોત થયું છે. આ ઉપરાંત ભાવનગરમાં પણ 1 દર્દીનું મોત થયું છે.

માર્ચ મહિનામાં કોરોનાથી 13 લોકોના મોત
કોરોનાથી રાજ્યમાં દર્દીના મોતની વાત કરીએ તો, રાજ્યમાં 10 માર્ચના સુરતમાં એક દર્દીના મોત થયું હતું. ત્યારબાદ 21 માર્ચે ભરૂચના ઝઘડિયામાં 81 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારબાદ 22 માર્ચે મહેસાણામાં ત્રણ વર્ષના બાળકનું મોત થયું હતું. જેના બીજા દિવસે એટલે કે 23 માર્ચે અમદાવાદમાં 13 વર્ષની બાળકીનું મોત થયું હતું. ત્યાર પછી 25 માર્ચે રાજ્યમાં કોરોનાથી બે દર્દીના મોત થયા હતા. જેમાં અમદાવાદમાં 72 વર્ષયી વૃદ્ધનું મોત નિપજ્યું હતું. જ્યારે કચ્છમાં 9 માસની બાળકીનું મોત થયું હતું. 26 માર્ચે વલસાડના નાનાપોંઢાની 60 વર્ષીય મહિલાનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું હતું. 30 માર્ચે કચ્છમાં એક દર્દીનું મોત થયું હતું. 31 માર્ચે સુરતમાં એક દર્દીનું મોત થયું હતું.
ભાવનગરમાં 77 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત
ભાવનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ ધીમી ગતિએ વધી રહ્યું છે. જ્યારે જિલ્લામાં હજી સુધી કોરોનાના ઘણાં ઓછા કેસો નોંધાયા છે. જ્યારે આજે ભાવનગર જિલ્લાના સિહોર સિહોરના વૃદ્ધનો કો-મોર્બીડથી મોત થયું છે. આમ, સિઝનનું પહેલું મોત થયું છે. શહેરના સુભાષનગર સ્મશાન ખાતે સેવાભાવીઓ તથા પરિવારજનો દ્વારા અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો.

દર્દી સંક્રમણ પૂર્વેથી જ અનેક રોગો
આ અંગે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના ડો.સુનિલ પટેલએ જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લાના સિહોર ખાતે રહેતા 77 વર્ષીય વૃદ્ધનું કો-મોર્બીડમાં મોત થયું હતું, જેમાં વૃદ્ધને ગત તા.2 ના રોજ પ્રાઈવેટ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા અને સ્થિતિ વધુ નાજુક થતા આજરોજ સર ટીમાં હોસ્પિટલમાં અવસાન થયું હતું. દર્દી સંક્રમણ પૂર્વેથી જ કિડની, ડાયાબિટીસ, હદય રોગ, બ્લડપ્રેશર સહિતના રોગોથી ગ્રસ્ત હતા, કોરોનાથી સંક્રમિત થતા અવસાન થયું હતું.