Saturday, April 22, 2023

ગાંધીનગરના સેકટર-24 ઇન્દિરાનગરમાં ગળાફાંસો ખાઈ યુવાનનો આપઘાત, માતાને કેનાલમાં પડવા જવાનું કહી ઘરે સાડી બાંધી લટકી ગયો | Youth commits suicide by hanging himself in Sector-24 Indiranagar, Gandhinagar, hangs himself by tying a saree at home asking his mother to go and fall into the canal. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Youth Commits Suicide By Hanging Himself In Sector 24 Indiranagar, Gandhinagar, Hangs Himself By Tying A Saree At Home Asking His Mother To Go And Fall Into The Canal.

ગાંધીનગર27 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગાંધીનગરના સેકટર – 24 ઇન્દિરા નગર છાપરામાં રહેતા 25 વર્ષીય યુવાને ઘરે સાડી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં સેકટર – 21 પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે બપોરે યુવાને પહેલાં તેની માતાને ફોન કરીને કેનાલમાં પડવા જતો હોવાનું કહી ઘરે ગળાફાંસો ખાઈ લેતાં પોલીસે આપઘાતનું કારણ જાણવા મથામણ શરૂ કરી છે.

ગાંધીનગરનાં સેકટર – 24 ઇન્દિરા નગર છાપરામાં માતા – ભાઈ સાથે સાથે રહેતો જીગ્નેશ પ્રદીપભાઈ મકવાણા (દેવીપૂજક) ડૂંગળી બટાકાનો વેપાર કરતો હતો. જ્યારે તેની માતા અને ભાઈ પણ ઉપરોક્ત વ્યવસાય કરી રહ્યા છે. ગઈકાલે માતા – ભાઈ ધંધાર્થે બહાર ગયા હતા. તે વખતે 25 વર્ષીય જીગ્નેશ ઘરે એકલો જ હતો. ત્યારે બપોરના સમયે જીગ્નેશએ તેની માતાને ફોન કરીને નર્મદા કેનાલમાં પડવા જતો હોવાનું જણાવી ફોન મૂકી દીધો હતો. આથી ગભરાઈ ગયેલી માતાએ બીજા દીકરાને ફોન કરીને ઘરે જઈને તપાસ કરવા જણાવ્યું હતું.

જોકે, બીજો દીકરો ગાડીનો ફેરો મારવા ગયો હતો એટલે તેને ઘરે પહોંચતા સાંજ થઈ ગઈ હતી. ત્યારે ઘરે પહોંચતા અંદરથી ઘરનો દરવાજો બંધ હતો. જેથી તેણે જીગ્નેશ ને ઘણી બૂમો પાડી હતી. પરંતુ અંદરથી કોઈ જવાબ મળ્યો ન હતો. આથી તે ઘરની છત ઠેકીને અંદર ગયો હતો.

જ્યાં રૂમનો દરવાજો પણ બંધ હતો. જેનાં પગલે જીગ્નેશનાં ભાઈએ બારી ખોલીને અંદર નજર કરી હતી. ત્યારે જીગ્નેશને સાડી વડે ગળાફાંસો ખાઈ લટકતો જોઈ બુમાબુમ કરી મુકી હતી. બાદમાં દરવાજો બળ વાપરીને ખોલી દેવામાં આવ્યો હતો. અને જીગ્નેશને બેભાન અવસ્થામાં એક્ટિવા ઉપર ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો.

સિવિલમાં ફરજ પરના તબીબે તપાસીને જીગ્નેશને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ ની તપાસ કરનાર સેકટર – 21 પોલીસ મથકના એએસઆઇ દશરથભાઈ નાણાવટીએ જણાવ્યું હતું કે, હાલમાં ઘરમાં માતમ છવાયો હોવાથી મૃતકનાં ભાઈ – માતાની વધુ પૂછતાંછ કરી નથી. પ્રાથમિક તપાસમાં જીગ્નેશે ફાંસો ખાતા પહેલા તેની માતાને ફોન કરીને કેનાલમાં પડવા જતો હોવાનું કહ્યું હતું. હાલમાં આપઘાતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: