Thursday, April 20, 2023

નવસારી પાલિકાએ શહેરીજનોને પીવાનું સ્વચ્છ પાણી મળે તે માટે 25 લાખના ખર્ચે પાંચ સ્થળોએ મુકેલા વોટર ATM બંધ હાલતમાં | Water ATMs installed at five locations at a cost of 25 lakhs to provide clean drinking water to the citizens of Navsari Municipality are closed. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Water ATMs Installed At Five Locations At A Cost Of 25 Lakhs To Provide Clean Drinking Water To The Citizens Of Navsari Municipality Are Closed.

નવસારી40 મિનિટ પહેલા

  • કૉપી લિંક

નવસારી પાલિકાએ શહેરીજનોને રાહત દરે પીવાનું પાણી મળી રહે તે માટે 5 સ્થળોએ પ્રાયોગિક ધોરણે વૉટર ATM મૂક્યા હતા, પરંતુ તેનું યોગ્ય મેન્ટેનન્સ ન થતા તમામ ATM હાલમાં ધૂળ ખાઈ રહ્યા છે શોભાના ગાંઠિયા સમાન બનેલા આ મશીન આગામી ઉનાળામાં શહેરીજનો માટે ઉપયોગી થઇ શકે તેમ હતા પણ પાલિકની બેદરકારીથી આ ઉપક્રમ નિષ્ફળ જતો દેખાય રહ્યો છે.

શહેરના પછાત વિસ્તાર તરીકે ગણના પામેલા દશેરા ટેકરી વિસ્તારના લોકોને એક રૂપિયાના રાહત દરે પીવાનું સ્વચ્છ પાણી મળી રહે તે માટે નવસારી નગરપાલિકાએ 2022માં 25 લાખના ખર્ચે 5 જેટલા મશીનો ખરીદ્યા હતા અને તેને અલગ અલગ વિસ્તારમાં મૂકીને વોટર એટીએમમાં એક રૂપિયો નાખ્યા બાદ 10 લિટર જેટલું પાણી મળતું હતું. થોડા દિવસ સુધી આ મશીનો કાર્યરત રહ્યા બાદ એકાએક તેઓ બંધ થવા માંડ્યા હતા. પાલિકાએ આ મામલે કોઈ પણ મેન્ટેનન્સ લેવાની તસ્દીન લેતા મશીનો હાલ ધૂળ ખાઈ રહ્યા છે. દશેરા ટેકરી વિસ્તારનું મશીન છે જેમાં નગરસેવક રૂપિયો નાખે છે અને તે રૂપિયો પરત આવે છે આ મશીનો આગામી ઉનાળામાં લોકો માટે ઉપયોગી સાબિત થઈ શકે તેમ હતા પરંતુ તે હાલ ધૂળ ખાઈ રહ્યા છે.

નગરપાલિકા દ્વારા શહેરીજનોને પીવાલાયક પાણી રાહત દરે મળી રહે તેવા હેતુથી શહેરના 5 જાહેર સ્થળોએ વોટર ATM ગત વર્ષે મૂક્યા હતા. વોટર એટીએમ ધારાસભ્ય સહિત નગરસેવકોની હાજરીમાં મૂકી તો દેવાયા પરંતુ તેનું મેન્ટેનન્સ યોગ્ય રીતે ન થતાં તે હાલમાં ધૂળ ખાઈ રહ્યા છે અને શહેરીજનો માટે બિન ઉપયોગી બન્યા છે. પાલિકાએ મશીન પાછળ 25 લાખનો ખર્ચો કર્યો છે જે પાણીમાં ગયો છે. બીજી તરફ શહેરીજનો પૈસા ખર્ચીને પીવાલાયક પાણી ખરીદીને પીવે છે. શહેરીજનો વેરો ભર્યા બાદ પણ પીવાનું સ્વચ્છ પાણી નળ વાટે મેળવી શકતા નથી. તેઓ ખાનગી સંસ્થાઓ પાસેથી 20 રૂપિયાના દરે પાણીની બોટલો મંગાવે છે. પાલિકાએ શહેરીજનોને એક રૂપિયાના દરે 10 લીટર પાણી ઉપલબ્ધ થાય તેવા શુભ આશયથી 25 લાખની યોજના હેઠળ આશરે 5 લાખથી વધુની કિંમતના 5 જેટલા મશીનો શહેરના અલગ અલગ વિસ્તારોમાં મૂક્યા હતા જેમાં વિઠ્ઠલ મંદિર, અજગર વાળા બાગ, લીમડા ચોક,દશેરા ટેકરી અને કબીલપોર વિસ્તારમાં આ મશીનો પ્રાયોગિક ધોરણે મૂક્યા હતા. પરંતુ થોડો સમય કાર્યરત રહ્યા બાદ આ મશીનો બંધ થતા હાલ ધૂળ ખાઈ રહ્યા છે.

વોટર ATM કેમ ખોટકાયા તેનું કારણ જાણવા જતાં માહિતી મળી કે, ATM ઉપર એક ટેન્ક મુકવામાં આવ્યો છે જેમાં નગરપાલિકાના દ્વારા નિશ્ચિત સમય માંટે પાણી ઉપલબ્ધ થાય છે અને તે ટેન્ક ભરાયાં બાદ પાણી ફિલ્ટર થઈને શહેરીજનોને મળે છે પરંતુ એટીએમ ઉપર મૂકવામાં આવેલું ટેન્ક સંપૂર્ણ ભરાતું નથી જેને કારણે સમયાંતરે તે ખોટકાતું રહે છે. રૂપિયાનો સિક્કો નાખ્યા બાદ પણ તેમાંથી પાણી ન નીકળતા લગભગ શહેરના તમામ મશીનો બિન ઉપયોગી બન્યા છે.

અન્ય સમાચારો પણ છે…