- Gujarati News
- Local
- Gujarat
- Surat
- Two More Out Of 27 Corporators Joined BJP Leaving AAP With 15, More Than 1 3 Joining BJP Will Not Trigger Defection Law: Paresh Patel
સુરતએક કલાક પહેલા
- કૉપી લિંક

ફાઈલ તસવીર
સુરતના આમ આદમી પાર્ટીના વધુ બે કોર્પોરેટરે આજે સત્તાવાર રીતે કેસરિયો ધારણ કરી લીધો છે. 27માંથી અત્યાર સુધીમાં કુલ 12 જેટલા કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ ગયા છે. જેને લઇ હવે આમ આદમી પાર્ટી પાસે માત્ર 15 કોર્પોરેટરો જ રહ્યા છે. ત્યારે મનપાના સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે, કુલ 12 આપના કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે, જેને લઇ 1/3ની મેજોરિટિમાં જોડાયા હોવાથી પક્ષાંતર ધારો લાગતો નથી. તે ઉપરાંત ઓછામાં ઓછા 12 કોર્પોરેટરો એક પક્ષમાં જરૂરી હોવાથી વિરોધ પક્ષ પણ યથાવત રહેશે.
આમ આદમી પાર્ટીની મુસીબતમાં વધારો
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરોનું વિજય થતા ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત બની રહી હતી. પરંતુ સમય જતા હવે આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરોમાંથી ધીમે ધીમે કોર્પોરેટરો ખરી પડી કેસરિયો ધારણ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીને એક પછી એક મુસીબતમાં વધારો થતો જઈ રહ્યો છે. અગાઉ ચાર કોર્પોરેટરો બાદ થોડા દિવસ પહેલા વધુ છ કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતા અને આજે વધુ બે કોર્પોરેટરો અલ્પેશ પટેલ અને કનુ ગેડિયા ભાજપમાં જોડાતા 27માંથી 12 કોર્પોરેટરો ખરી પડ્યા છે અને આપનું સંખ્યાબળ 15 પર પહોંચી ગયું છે.
હજુ પણ મનપામાં વિરોધ પક્ષ યથાવત રહેશે: પરેશ પટેલ
આજે વધુ આપના વધુ બે કોર્પોરેટરો ભાજપમાં જોડાવાથી આવનારા દિવસોમાં સમીકરણો બદલાઈ શકે તેવી સ્થિતિ નિર્માણ પામવા જઈ રહી છે. ત્યારે આ અંગે સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે, આજે વધુ બે કોર્પોરેટરો વોર્ડ નંબર 2 અને 3ના કનુ ગેડીયા અને અલ્પેશ પટેલ ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. ભાજપની વિચારધારાથી પ્રેરાઈને તેઓ ભાજપમાં જોડાયા છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના કુલ 27 કોર્પોરેટરમાંથી 12 કોર્પોરેટરો રાજીનામું આપી ભાજપ પક્ષના સમર્થનમાં આવ્યા છે, જેને લઇ આમ આદમી પાર્ટી પાસે માત્ર 15 કોર્પોરેટરો રહ્યા છે. જોકે તેમ છતાં મનપામાં હજુ પણ વિરોધ પક્ષ યથાવત રહેશે. વિરોધ પક્ષ માટે ઓછામાં ઓછા 12 સભ્યો હોવા જરૂરી છે, જે હોવાથી મહાનગરપાલિકાના વિરોધ પક્ષની ભૂમિકા આમ આદમી પાર્ટીની બની રહેશે.
પક્ષાંતર ધારો લાગશે નહીં
મનપાના સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલે ટેકનિકલ સમીકરણો પર વધુમાં જણાવ્યું હતું કે, જે રીતે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે. તેમાં કોઈપણ પ્રકારનો પક્ષાંતર ધારાનો નિયમ લાગુ પડશે નહીં. નિયમ મુજબ આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરોમાંથી 1/3 મેજોરીટી સાથે કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે. એટલે કે 27માંથી 9 કરતા વધુ કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે. જેને લઇ કોઈ પણ પ્રકારનો પક્ષાંતરધારો લાગુ પડશે નહીં. હજુ પણ કોર્પોરેટરો આમ આદમી પાર્ટીમાં જોડાવા ઈચ્છતા હોય તો પક્ષની વિચારધારા સાથે જોડાવા માટે અમે સ્વીકારવા તૈયાર છે.