પોરબંદરએક કલાક પહેલા
- કૉપી લિંક

રાજ્યની જનતા અને સરકાર વચ્ચેના અંતરને દૂર કરવા અને ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરી જનતાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 20 વર્ષ પહેલાં એટલે કે એપ્રિલ 2023ના રોજ SWAGAT (સ્વાગત-સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રિવન્સિસ બાય એપ્લિકેશન ઓફ ટેક્નોલોજી) કાર્યક્રમની શરૂઆત કરી હતી. દર મહિનાના અંતિમ ગુરુવારે યોજાતા આ કાર્યક્રમને 20 વર્ષ પૂરાં થયા છે.
પોરબંદર જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં સ્વાગત કાર્યક્રમમાં કુલ 27 પ્રશ્નો રજૂ થયા હતા. જે તમામ પ્રશ્નોનું નિરાકરણ કરાયું હતુ. આ ઉપરાંત તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પોરબંદર, કુતિયાણા અને રાણાવાવ તાલુકામાં કુલ 30 પ્રશ્નો રજૂ થયા હતા. જે તમામનું નિરાકરણ કરવામા આવ્યું હતું. પોરબંદર જિલ્લામાં વર્ષ-2022માં જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કુલ-27 પ્રશ્નો રજૂ થયા હતા. જે તમામ પ્રશ્નોનો નિકાલ પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પોરબંદર તાલુકા સ્વાગતમાં કુલ 17 પ્રશ્નો, રાણાવાવ તાલુકામાં કુલ-9 પ્રશ્નો તથા કુતિયાણા તાલુકામાં કુલ-4 પ્રશ્નો રજૂ થયા હતા. જે તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.
એપ્રિલ 2023માં સ્વાગત કાર્યક્રમના 20 વર્ષ પૂર્ણ થવાના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ એપ્રિલ મહિનાનું અંતિમ સપ્તાહ સ્વાગત સપ્તાહ તરીકે ઉજવાઇ રહ્યું છે. ગ્રામથી તાલુકા અને જિલ્લા સ્તરથી રાજ્ય સ્તરે એમ ચાર સ્તરે હવે આ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. ત્યારે પોરબંદર જિલ્લા સ્વાગતમાં ગત વર્ષે રજૂ થયેલા 27 પ્રશ્નો પૈકી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ-5 પ્રશ્નો, વન અને પર્યાવરણ વિભાગ-1 પ્રશ્ન, ઉદ્યોગ અને ખાણ વિભાગ-3 પ્રશ્નો,પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ-2 પ્રશ્નો, માર્ગ અને મકાન વિભાગ-1 પ્રશ્ન તથા મહેસૂલ વિભાગ-15પ્રશ્નોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત તાલુકા સ્વાગતમાં રજૂ થયેલા પ્રશ્નો પૈકી પોરબંદર ગ્રામ્ય તાલુકામાં કુલ-17 પ્રશ્નો રજૂ થયેલા જે તમામનો નિકાલ કરવામાં આવેલ છે. જેમાં મહેસૂલ વિભાગ–14 પ્રશ્નો, પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ-3 પ્રશ્નો, પોરબંદર શહેર તાલુકામાં કુલ-4 પ્રશ્નો, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ-3 પ્રશ્નો તથા બંદર અને વાહન વ્યવહાર વિભાગ-1 પ્રશ્ન રજૂ થયો હતો. આ ઉપરાંત રાણાવાવ તાલુકામાં કુલ-09 પ્રશ્નો રજૂ થયા હતા. જે તમામનો નિકાલ કરાયો છે. જેમા પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ-6 પ્રશ્નો, મહેસૂલ વિભાગ-2 પ્રશ્નો તથા ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગ-1 પ્રશ્ન રજૂ થયો હતો. આ ઉપરાંત કુતિયાણા તાલુકામાં કુલ-04 પ્રશ્નો રજૂ થયા હતા. જે તમામનો નિકાલ કરાયો છે. જેમાં મહેસૂલ વિભાગ-2 પ્રશ્નો તથા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ-2 પ્રશ્નોનો સમાવેશ થાય છે.