દ્વારકા ખંભાળિયા17 મિનિટ પહેલા
- કૉપી લિંક

સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમ હેઠળ તમિલનાડુના બાંધવોને આવકારવા માટે દેવભૂમિ દ્વારકામાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. દ્વારકામાં દરરોજ 300 મહેમાનોને આવકારવામાં આવશે.

સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી વર્ષો પહેલા સૌરાષ્ટ્રના લોકોએ હિજરત કરી હતી. સૌરાષ્ટ્રમાંથી તમિલનાડુમાં વસેલા સૌરાષ્ટ્ર તમિલ બાંધવો આજે પણ સૌરાષ્ટ્ર ગુજરાત સાથે નાતો ધરાવે છે. તમિલનાડુમાં વસતા તમિલ બાંધવોને આવકારવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

બુધવાર તા. 19ના રોજ બપોરે તમિલનાડુના મહેમાનો દ્વારકા ખાતે આવશે. દ્વારકામાં પરંપરાગત રીતે સ્વાગત તેમજ દ્વારકાધીશ ભગવાનના દર્શન, રુકમણી માતાજીના મંદિરે દર્શન નાગેશ્વર દર્શન તેમજ શિવરાજપુર બીચ ખાતે વિવિધ રમતોમાં સહભાગી બનશે. આ ઉપરાંત સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળશે.
સોમનાથથી દરરોજ દ્વારકા 10 બસમાં 300 મહેમાનો આવશે અને તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રાત્રે ટ્રેનમાં મહેમાનો સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા રવાના થશે.

