સુરેન્દ્રનગર22 મિનિટ પહેલા
- કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વઢવાણ શહેરમાં એકમાત્ર કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો. જિલ્લામાં 78 માંથી 61 દર્દી સાજા થતા 17 એક્ટીવ કેસ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તા.17 એપ્રલિને સોમવારે 522 આરટીપીસીઆર ટેસ્ટ અને 140 એન્ટીજન ટેસ્ટ મળી કુલ 662 કોરોના ટેસ્ટ કરવામા આવ્યાં હતા.
આજે વઢવાણ શહેરમાં એકમાત્ર કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો. આ દિવસે 3 દર્દીઓ સાજો થતા જિલ્લામાં કુલ 78 કેસોની સામે 61 લોકો કોરોનામુક્ત બનતા 17 કેસ એક્ટિવ રહ્યા હતા. આ એક્ટિવ કેસમાં ચોટીલા-3, લીંબડી-1, મૂળી-4, સાયલા-3, થાનગઢ-1 અને વઢવાણ પંથકમાં 5 કોરોનાના એક્ટિવ કેસ રહ્યા હતા. આરોગ્ય તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ આ તમામ કોરોનાગ્રસ્ત દર્દીઓ હાલ હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે…