Tuesday, April 25, 2023

શહેરના પૂર્વ વિસ્તારમાં બે દિવસમાં જાહેરમાં ગંદકી કરતી 35 દુકાનોને સીલ કરવામાં આવી, રોડ પર બંધ પડેલા વાહનોને નોટિસ આપી | 35 public littering shops sealed in two days in eastern area of city, notices issued to vehicles stranded on road | Times Of Ahmedabad

અમદાવાદ6 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદ શહેરમાં જાહેર રોડ પર ગંદકી કરનારા અને પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરનારા દુકાનદારો વિરુદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. દક્ષિણ ઝોનની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ દ્વારા દિવસ અને રાત્રી દરમિયાન કોડ બનાવી અને જાહેરમાં ગંદકી કરનારા દુકાનદારો અને એકમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. બે દિવસમાં જાહેરમાં ગંદકી કરવા બદલ 35 સીલ કરવામાં આવી છે. કુલ 84500 જેટલો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેરમાં છેલ્લા કેટલાય સમયથી બંધ પડેલા ભંગારના વાહનો સામે પણ કાર્યવાહી કરી હતી. દક્ષિણ ઝોનમાં આવતા મણિનગર વોર્ડમાં રામગીરીના છાપરા પાસે 13થી 15 જેટલા ભંગારમાં વાહનો પડ્યા હતા. જ્યારે પાંચ બંધ પડેલા વાહનો હતા આમ કુલ 20 જેટલા વાહનોને નોટિસ ફટકારવામાં આવી હતી અને તેની આસપાસ પડેલા કચરા અને ગંદકીને દૂર કરવામાં આવી હતી.

શહેરના દક્ષિણ ઝોન વિસ્તારમાં અમરાઈવાડી, ઇન્દ્રપુરી, લાંભા, વટવા, મણીનગર, ઇસનપુર, નારોલ સહિતના છેલ્લા બે દિવસમાં રાત્રી દરમિયાન ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા જાહેરમાં કચરો નાખતા લોકો અને દુકાનદારો સામે છેલ્લા બે દિવસમાં દિવસ અને રાત્રી દરમ્યાન કાર્યવાહી કરવામાં આવી હતી. રવિવારે રાતે 32 અનેસોમવારે વહેલી સવારે કુલ 11 અને આજે મંગળવારે સવારે 24 એમ કુલ 35 દુકાનદારો અને એકમોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ પૂર્વઝોનના સ્ટાફ દ્વારા ઘરનો કચરો ડોર ટુ ડોર ગાડીમાં આપવા સમજણ આપવામાં આવી છે. આવનાર દિવસોમાં જો આવી ચાલીઓ/સ્લમ વિસતાર/ઇ.ડબ્લયુ.એસ.આવાસનો કાર્યવાહી કરવામાં આવશે. કચરો જાહેર રોડ પર નાંખવામાં આવશે તો તેની સામે પણ દંડાત્મક કાર્યવાહી કરાઈ છે. વધુમાં રાત્રિ ફલાઈગ સ્કવોડ દ્વારા પણ ગંદકી કરતા એકમને નોટિસ તથા સીલ કરવાની કામગીરી કરવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન હવે ગંદકી કરતા એકમો સામે કડક વલણ દાખવી સ્વચ્છતાનું ઉચ્ચ ધોરણ જાળવવા કટિબદ્ધતા સાથે કામ કરી રહ્યું છે. સાથે સાથે સ્વચ્છતા અભિયાન/આઈ. ઈ.સી. એક્ટિવિટી કરી જન જાગૃતિ લાવી સ્વચ્છતા જાળવવા શહેરના નાગરિકોને અપીલ કરવામાં આવે છે.