સુરેન્દ્રનગરએક કલાક પહેલા
- કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામા કોરોનાના કેસ ફરી વધ્યા છે. આજે જિલ્લામાં કોરોનાના 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે કોરોના પોઝિટિવના 6 દર્દીઓને રજા આપવામાં આવી હતી. આમ સુરેન્દ્રનગર જિલ્લામાં 105માંથી 86 દર્દીઓ સાજા થતા 19 એક્ટીવ કેસ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તા.26 એપ્રિલને બુધવારે 454 આરટીપીસીઆર અને 174 એન્ટીજન ટેસ્ટ મળી કુલ 628 કોરોના ટેસ્ટ કરવામા કરવામા આવ્યા હતા.
જ્યારે આજે વધુ છ દર્દીઓને રજા અપાતા જિલ્લામાં કુલ 105 કેસોની સામે 86 લોકો કોરોનામુક્ત બનતા 19 કેસ એક્ટિવ રહ્યા હતા. આ એક્ટિવ કેસમાં ચોટીલા-1, લખતર 2, લીંબડી-2, મૂળી-5, સાયલા-1, થાનગઢ-2 અને વઢવાણ પંથકમાં 6 કોરોનાના એક્ટિવ કેસ રહ્યા હતા. આરોગ્ય તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ આ તમામ કોરોનાગ્રસ્ત દર્દીઓ હાલ હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે. આજે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે એક કેસ સાયલા ગ્રામ્યમાં, થાનગઢ શહેરમાં 2 અને વઢવાણ ગ્રામ્યમાં 1 કેસ નોંધાયો હતો. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સતર્ક રહેવાની સાથે ફરજિયાત માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી છે.