Tuesday, April 18, 2023

અમદાવાદથી મુંબઇની આકાશા એરલાઇન્સની 4 વાગ્યાની ફ્લાઇટ 2 કલાક બાદ પણ ન ઉપડતા પેસેન્જરોએ હોબાળો કર્યો | Akasha Airlines flight from Ahmedabad to Mumbai at 4 o'clock did not take off even after 2 hours, passengers raised an uproar | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

અમદાવાદ એરપોર્ટથી અમદાવાદથી મુંબઈની આકાશા એરલાઇન્સની ફલાઇટ 4:05 વાગે ઉપાડવાની હતી, પરંતુ મુસાફરો બેઠા બાદ પણ કોઈ કારણસર ફલાઇટ ના ઉપડતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. મુસાફરોએ એરપોર્ટ પર હોબાળો પણ કર્યો હતો જેના પગલે અત્યારે મુસાફરોને બીજી ફલાઈટમાં બેસાડવામાં આવ્યા છે. જોકે હજુ સુધી ફલાઇટ ઉપડી નથી.

ફલાઇટ ના ઉપડતા મુસાફરોએ હોબાળો કર્યો
4 વાગ્યાની ફલાઇટમાં 3 વાગ્યાનો બોર્ડિંગ ટાઈમ હતો. મુસાફરો સમયસર પહોંચીને બોર્ડિંગ પણ કરાવી દીધું હતું. મુસાફરો ફ્લાઈટમાં બેસી ગયા હતા પરંતુ ફ્લાઇટ ઉપડી જ નહોતી. મુસાફરોને ટેક્નિકલ કારણ આપવામાં આવ્યું હતું. 30 મિનિટ સુધી ફલાઇટ ના ઉપડતા મુસાફરોએ ફ્લાઈટમાં હોબાળો કર્યો હતો જેથી તમામ મુસાફરોને ફ્લાઈટમાંથી બહાર લાવવામાં આવ્યા હતા.

મુસાફરો આકાશાની બીજી ફ્લાઈટમાં બેસાડ્યા
5:15 વાગ્યા બાદ મુસાફરોને બીજી ફ્લાઈટમાં શિફ્ટ કરવાનું જણાવવામાં આવ્યું હતું જેથી 5:30 સુધી મુસાફરો આકાશાની બીજી ફ્લાઈટમાં બેસી ગયા હતા. પરંતુ 6 વાગ્યા છતાં ફ્લાઈટ હજુ ઉપડી નહોતી જેથી મુસાફરોએ હોબાળો કર્યો છે. એક વખત ફલાઇટમાંથી બહાર લાવીને ફરી મુસાફરોનું ચેક ઇન અને સિક્યુરિટી ચેક કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આકાશાની 5 વાગ્યાની પણ એક ફલાઇટ બેંગ્લોર માટે ઉપડવાની હતી જે હજુ સુધી ઉપડી નથી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: