Monday, April 17, 2023

વાજપાઇ બેંકેબલ યોજનાના 472 લાભાર્થીઓને રૂ.385.97 લાખની સહાય ચૂકવાઇ, દઢવાવ ખાતે પશુ હેલ્પલાઇન 1962 દ્વારા કપિરાજને મળ્યું નવજીવન | Assistance of Rs.385.97 lakh paid to 472 beneficiaries of Vajpayee Bankable Yojana, Kapiraj got a new life through Animal Helpline 1962 at Dadhava | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Sabarkantha
  • Assistance Of Rs.385.97 Lakh Paid To 472 Beneficiaries Of Vajpayee Bankable Yojana, Kapiraj Got A New Life Through Animal Helpline 1962 At Dadhava

સાબરકાંઠા (હિંમતનગર)એક કલાક પહેલા

  • કૉપી લિંક

વાજપાઇ બેંકેબલ યોજનાનો લાભાર્થીઓને મળ્યો લાભ…
રાજ્યના લોકોને આત્મનિર્ભર રોજગારી મળી રહે અને પોતાની જાતે ધંધાની શરૂઆત કરી શકે તે માટે સરકાર દ્વારા વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેમાં ગુજરાત સરકાર અને ગ્રામ ઉદ્યોગ સાથે સંકળાયેલા વ્યક્તિઓને રોજગારી પૂરી પાડવા માટે વાજપાઇ બેન્કેબલ યોજના અંતર્ગત નાણાકીય લોન તેમજ સબસિડી આપવામાં આવે છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં વર્ષ 2022-23માં અંતર્ગત કુલ 472 લાભાર્થીઓને રૂ.385.97 લાખની સહાય ચૂકવવામાં આવી છે.

આ યોજનામાં રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, પબ્લિક સેક્ટર બેંકો, ખાનગી બેંકો મારફતે લોન અપાય છે. જેનો મુખ્ય ઉદ્દેશ કુટીર ઉદ્યોગને પ્રોત્સાહન આપી ગુજરાત રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારના શિક્ષિત યુવાન, યુવતીઓ, દિવ્યાંગોને, સ્વરોજગારી પુરી પાડવાનો છે.

આ યોજનાનો લાભ 18થી 65 વર્ષનો કોઈપણ વ્યક્તિ લઈ શકે છે. લાભ લેનાર વ્યક્તિ ઓછામાં ઓછું ધોરણ 4 પાસ અથવા કોઈપણ તાલીમનો એક વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઇએ. આ યોજના અંતર્ગત કારીગરો પોતાનો સ્વતંત્ર વ્યવસાય ચાલુ કરી આત્મનિર્ભર બની શકે છે. અરજદારો નવા એકમ તેમજ ચાલુ ધંધાના વિસ્તરણ માટે જે-તે બેંકના નિયત કરેલા વ્યાજ દરે રૂપિયા 8 લાખ સુધીની લોન મેળવી શકાય છે. જેના ઉપર નિયમ મુજબ મહત્તમ રૂ 1.25 લાખ સુધીની સબસીડી મળવાપાત્ર થાય છે.

આ યોજનાનો લાભ લેવા માટે અરજદારે પાસપોર્ટ ફોટો, આધારકાર્ડ, સ્કૂલ સર્ટિફિકેટ, જન્મનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, અનુભવોનો દાખલો, કોટેશન (ભાવપત્રક) ધંધાનાં સ્થળનો આધાર-વેરા પહોંચ જેવા ડોક્યુમેન્ટ સાથે ઓનલાઇન અરજી કરવાની હોય છે.

વિજયનગર તાલુકાનાં દઢવાવ ખાતે પશુ હેલ્પલાઇન 1962 દ્વારા કપિરાજને નવું જીવનદાન મળ્યુ…
વિજયનગર તાલુકાના કોડીયાવાડા બેઝ લોકેશન ખાતે દસ ગામ દીઠ ફરતા દવાખાનાં 1962 કાર્યરત છે. ફોરેસ્ટ વિભાગની ટીમ પી.પી. જાલા, સુરેન્દ્રસિંહ, કૃષ્ણસિંહ અને જૈમિનભાઈને રસ્તામાં કપિરાજ ગંભીર રીતે ઘવાયેલાં જોવા મળ્યા હતા. વન વિભાગના કર્મચારીઓ દ્વારા તુરંત રાજ્ય સરકારની 1962 પશુ હેલ્પલાઇન પર ફોન કરતા ડૉ. મયંક પ્રજાપતિ અને પાયલોટ કમ ડ્રેસર મહેશભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચી કપિરાજની સારવાર કરી નવું જીવનદાન આપ્યું હતું.

વન વિભાગના કર્મચારીઓ દ્વારા પશુ હેલ્પલાઇન 1962ની તાત્કાલિક સેવા બદલ ફરતા પશુ દવાખાનાં તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો અને જાહેર જનતાને પશુઓ માટેની આ સેવાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: