Friday, April 21, 2023

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે નવા 6 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 28 પર પહોંચ્યો | 6 new cases were reported in Surendranagar district today, the number of active cases reached 28 | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર7 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે ફરી કોરોના કેસમાં ઉછાળો આવ્યો છે. જેમાં સતત ત્રીજા દિવસે 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ સુરેન્દ્રનગર જિલ્લામાં 98માંથી 70 દર્દીઓ સાજા થતા 28 એક્ટીવ કેસ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તા.21 એપ્રિલને શુક્રવારે 463 આરટીપીસીઆર ટેસ્ટ અને 154 એન્ટીજન ટેસ્ટ મળી કુલ 617 કોરોના ટેસ્ટ કરવામા આવ્યા હતા.

જેમાં આજે ચોટીલા શહેરમાં 1, લીંબડી ગ્રામ્યમાં 1, મૂળી ગ્રામ્યમાં 3 અને વઢવાણ ગ્રામ્યમાં 1 કેસ મળી જિલ્લામાં આજે કોરોના પોઝિટિવના છ કેસ નોંધાયા હતા. આજે ત્રણ દર્દીઓને રજા અપાતા જિલ્લામાં કુલ 98 કેસોની સામે 70 લોકો કોરોનામુક્ત બનતા 28 કેસ એક્ટિવ રહ્યા હતા. આ એક્ટિવ કેસમાં ચોટીલા-5, લખતર 3, લીંબડી-2, મૂળી-7, સાયલા-5, થાનગઢ-1 અને વઢવાણ પંથકમાં 5 કોરોનાના એક્ટિવ કેસ રહ્યા હતા. આરોગ્ય તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ આ તમામ કોરોનાગ્રસ્ત દર્દીઓ હાલ હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે. આજે સુરેન્દ્રનગર જિલ્લામાં 1 કેસ શહેરી વિસ્તારમાં અને 5 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સતર્ક રહેવાની સાથે ફરજિયાત માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: