Thursday, April 27, 2023

પ્રમુખ સ્વામી મહારાજના જન્મ સ્થળ ચાણસદના નારાયણ સરોવર ખાતે 600થી વધુ બલિકાઓની જીવન ઘડતર પ્રેરક શિબિર યોજાઈ | A life-building motivational camp for more than 600 girls was held at Narayan Sarovar in Chansad, the birthplace of Pramukh Swami Maharaj. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • A Life building Motivational Camp For More Than 600 Girls Was Held At Narayan Sarovar In Chansad, The Birthplace Of Pramukh Swami Maharaj.

વડોદરા2 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભણતર સાથે ધડતરની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને BAPS સંસ્થા દ્વારા આગામી પેઢીની નાગરિક એવી બાલિકાઓનાં જીવન ધડતરરૂપી સંસ્કાર પ્રેરક પ્રવૃત્તિ પ્રદાન કરતી બાલિકા શિબિર યોજાઈ હતી. પ્રમુખ સ્વામી મહારાજના જન્મ સ્થળ ચાણસદ સ્થિત નારાયણ સરોવર ખાતે યોજાયેલી આ બાલિકા શિબિરમાં વડોદરા શહેરમાં ચાલતા 150 જેટલા બાલિકા મંડળોની 600થી વધુ બાળાઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અને સંસ્કાર સિંચન સહ અભ્યાસમાં એકાગ્રતા રૂપી જીવન જરૂરી પાઠની શિખ મેળવી હતી.

BAPS સંસ્થાએ રાજ્ય સરકારની મદદથી ગામનો વિકાસ કર્યો છે, જેમાં પ્રમુખ સ્વામી બાળપણમાં જ્યાં ન્હાવા જતા, તે તળાવનું બ્યુટિફિકેશન કર્યું છે. આ તળાવનું નામ નારાયણ સરોવર આપવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ તાજેતરમાં જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ કર્યું હતું. જ્યાં આજે બાલિકા શિબિર યોજાઈ હતી. BAPSની આ શિબિરનો ડ્રોનથી અદભૂત નજારો સર્જાયો હતો.

બાપાના જીવનના 18 પ્રસંગો સાંભળવા મળે છે

નારાયણ સરોવર કેમ્પસમાં પુરૂષો અને મહિલાઓને ન્હાવા માટે બે અલગ-અલગ ઘાટ તૈયાર કરવામાં આવ્યા છે. પ્રમુખ સ્વામીએ 18 વર્ષ ચાણસદ ગામમાં વિતાવ્યા હતા, જેથી નારાયણ સરોવરની ફરતે 18 ઘુમટી બનાવવામાં આવી છે. અહીં આવતા પ્રવાસીઓ જ્યારે પહેલી ઘુમટી પાસે જશે, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજના અવાજમાં તેમના જીવનનો પ્રસંગ સાંભળવા મળે છે. આમ 18 ઘુમટીમાં સ્વામી બાપાના જીવનના 18 પ્રસંગો પ્રવાસીઓને સાંભળવા મળે છે. જેમાં પ્રમુખ સ્વામી મહારાજના યુનોના પ્રવચન સહિતના પ્રસંગોનો સમાવેશ થાય છે.

થિયેટરમાં બાપાનું બાળપણ દર્શાવાય છે

નારાયણ સરોવરના કેમ્પસમાં જ ઓરિએન્ટેશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં 50 લોકો બેસી શકે તેવું એક થિયેટર બનાવવામાં આવ્યું છે, જેમાં પ્રમુખ સ્વામી મહારાજના બાળપણના જીવન દર્શનનો 28 મિનિટનો વીડિયો દર્શાવવામાં આવે છે. જેમાં રોજ શો થાય છે.

લોકો માટે પ્રેમવતી પણ બનાવી

અહીં આવતા લોકો માટે પ્રેમવતી પણ બનાવવામાં આવી છે. જ્યાં હાલ ચા-નાસ્તો, ચા-ફોફી, કોલ્ડ્રિક્સ અને આઇસ્ક્રિમ મળે છે. આ ઉપરાંત એક બુક સ્ટોલ પણ ઉભો કરાયો છે. જ્યાં પ્રમુખ સ્વામીના જીવન ચરિત્ર સહિતના પુસ્તકો મળે છે

Related Posts: