Sunday, April 2, 2023

આણંદમાં 61 કેન્દ્રો પર 9 એપ્રિલે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે, પરીક્ષા કેન્દ્રોની 200 મીટરની ત્રિજ્યામાં બિનઅધિકૃત વ્યકિતઓના પ્રવેશ પર પ્રતિબંધ | Junior Clerk exam to be held on April 9 at 61 centers in Anand, entry of unauthorized persons prohibited within 200 meters radius of exam centers | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Junior Clerk Exam To Be Held On April 9 At 61 Centers In Anand, Entry Of Unauthorized Persons Prohibited Within 200 Meters Radius Of Exam Centers

આણંદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

આણંદના 61 કેન્દ્ર પર 9મી એપ્રિલના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા જુનીયર કલાર્ક (વહીવટી અને હિસાબ) વર્ગ -3ની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. આ ઉપરાંત ઝેરોક્સ સેન્ટર પણ બંધ રાખવા સુચના આપવામાં આવી છે.

આણંદ અધિક કલેક્ટર કેતકી વ્યાસે 9મી એપ્રિલ, 2023ના રોજ 61 કેન્દ્રો ઉપર ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ, ગાંધીનગર દ્વારા યોજાનારી જુનીયર કલાર્ક (વહિવટી / હિસાબ), વર્ગ-3ની પરીક્ષાને ધ્યાને લઈને પરીક્ષાના દિવસ દરમિયાન સવારના 8થી સાંજના 6 કલાક સુધી કેટલાંક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે જુનીયર કલાર્ક (વહિવટી / હિસાબ), વર્ગ-3ની પરીક્ષાના કેન્દ્રો પર શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા યોજાય, પરીક્ષા કેન્દ્રોની આસપાસ વાલીઓ અને લોકોના ટોળાઓ એકઠા ન થાય, કોઇ અનિચ્છનિય બનાવ ન બને, પરીક્ષા દરમિયાન કોઇપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેમજ પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી પરીક્ષા આપી શકે, કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે, પરીક્ષાનું મુક્ત, ન્યાયી અને સરળ સંચાલન થાય તેમજ પરીક્ષામાં થતી ગેરરીતીઓ અટકાવવા માટે 9મીનાના રોજ કેટલાંક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યાં છે.

આ અન્વયે પરીક્ષા કેન્દ્રોની કંપાઉન્ડની દિવાલની 200 મીટરની ત્રિજયામાં પરીક્ષાર્થી ઉમેદવારો અને પરીક્ષાની કામગીરીમાં રોકાયેલા અધિકૃત વ્યકિત સિવાય અન્ય કોઇપણ બિનઅધિકૃત વ્યકિત પ્રવેશ કરી શકશે નહી. વધુમાં પરીક્ષા કેન્દ્રોની કમ્પાઉન્ડની દિવાલની 100 મીટરની ત્રિજયામાં આવેલા તમામ ઝેરોક્ષ મશીનો પરીક્ષા સમય દરમિયાન બંધ રાખવા તેમજ પરીક્ષાના કેન્દ્રોમાં સેલ્યુલર, મોબાઇલ, પેજર, હેન્ડસેટ, વોકીટોકી, કાર્ડલેસ ફોન કે ઇલેકટ્રોનિક માધ્યમથી સંદેશાવ્યવહાર કે રેર્કોડીંગ થઇ શકે તેવા કોઇપણ પ્રકારના ઉપકરણો સાથે લઇ પ્રવેશ ન કરવા જણાવાયું છે.

આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે કાયદો અને વ્યવસ્થાના ઇન્ચાર્જ અધિકારીઓને અને પરીક્ષા કેન્દ્ર નજીક પર મુકેલા સલામતી કર્મચારીઓને તેમની કાયદેસરની ફરજો બજાવવા દરમિયાન તથા શિક્ષણ બોર્ડ તેમજ પરીક્ષાની ફરજોનો હવાલો સંભાળતા અધિકારીઓને તેમની વિધિસરની ફરજો દરમિયાન સેલ્યુલર ફોન, કોડલેસફોન, હેન્ડસેટ, વોકીટોકી તથા વાયરલેસ વગેરેના ઉપયોગ પર મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામું જિલ્લાના પરીક્ષા કેન્દ્રોના વિસ્તારને લાગુ પડશે, તેમજ આ જાહેરનામાંનો ભંગ કરનાર ઇસમ શિક્ષાને પાત્ર થશે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: