મોરબી4 કલાક પહેલા
- કૉપી લિંક

PGVCL મોરબી શહેરના બે પેટા વિભાગ હેઠળ આવતા 11 કેવી શ્રધ્ધા ફીડરમાં તા. 26 ને બુધવારે નવા કામની કામગીરી તેમજ મેઇન્ટેનન્સ કરવાનું હોવાથી સવારે 7 થી બપોરે 2:30 સુધી વીજ પુરવઠો બંધ રહેશે.
જેથી ફીડરમાં આવતા યમુના નગર, શ્રધ્ધા પાર્ક, શાંતિવન સોસા, રણછોડ નગર 1/2, નિધિ પાર્ક, લાયન્સ નગર, ગોર ખીજડીયા રોડ, વિજય નગર, મદીના સોસા, અમરેલી રોડ, પ્રકાશ પાર્ક, શાંતિવન સોસા, કુલી નગર 1/2 વગેરે વિસ્તારો તથા આસપાસના વિસ્તારોમાં પાવર સપ્લાય બંધ રહેશે.
તેમજ મોરબી શહેર 1 પેટા વિભાગ હેઠળ આવતા 11 કેવી રાજનગરમાં સવારે 7 થી બપોરે 2 સુધી વીજકાપ રહેશે. જેથી રાજનગર સોસાયટી, ધર્મસિદ્ધી સોસાયટી, ધર્મ ભૂમિ સોસાયટી, શ્રીમદ રાજ સોસાયટી, નિત્યાનંદ સોસાયટી, નાની કેનાલ વાળો રોડ, પંચાસર રોડ પર આવેલ પંપિંગ હાઉસ, સતવારા એસ્ટેટ વાળો વિસ્તાર, નવા મુનનગર વિસ્તાર, સત્યમ હોલ, મુનનગર ચોકની આજુબાજુનો વિસ્તાર, લાતી પ્લોટ-3,4,5,6 નો અમુક વિસ્તાર, મફતિયાપરા વિસ્તાર, ટેલીફોન એક્સચેન્જ વાળો વિસ્તાર, વગેરે વિસ્તારમાં વીજકાપ રહેશે.