સાબરકાંઠા (હિંમતનગર)એક કલાક પહેલા
- કૉપી લિંક

હિંમતનગર ભોલેશ્વર બ્રિજના બાંધકામને લઈ હિંમતનગર અને ભોલેશ્વરને જોડતા કોઝવેનો વાહન વ્યવહાર માટે બંધ કરવાનો હોવાથી ભોલેશ્વર તેમજ તેમની આસપાસ રહેતા રહેવાસીઓએ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. જેને લઈને જિલ્લા કલેક્ટરે મંગળવારે જાહેરનામું બહાર પાડ્યું છે. 15 ઓક્ટોમ્બર 2023 સુધી આ જાહેરનામું અમલમાં રહેશે.
વૈકલ્પિક રસ્તા તરીકે હિંમતનગર તરફ જવા માટે હિંમતનગર બાયપાસ રોડ અને હિંમતનગર-વિજાપુર-મહેસાણા રોડનો ઉપયોગ કરવો. તેમજ હિંમતનગરના રહેવાસીઓ માટે ભોલેશ્વર તરફ જવા માટે હિંમતનગર બાયપાસ રોડ અને હિંમતનગર-મહેસાણા-વિજાપુર રોડનો ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામું તારીખ 15 ઓક્ટોમ્બર 2023 સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131 હેઠળ સજા અને દંડને પાત્ર રહેશે.

હિંમતનગરના પોસ્ટ ઓફિસથી ભોલેશ્વર અને પરબડા જવા માટેનો હાથમતી નદી પરનો ત્રીજો ઓવરબ્રિજ કે જે 18 મહિનામાં 180 મીટર લાંબો પાચ પિયર પર 14.53 કરોડના ખર્ચે માર્ચ મહિનામાં બનાવાનો શરુ થયો હતો. જેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેને લઈને પાચ પિયરની કામગીરી જમીન લેવલથી પણ ઉપર આવી ગયો છે. હવે બંને તરફના છેડે અબડમેન્ટનું કામ શરૂ કરવાને લઈને રોડ બંધ કરવાનો છે.