الجمعة، 28 أبريل 2023

સુરેન્દ્રનગર જિલ્લામા સતત બીજા દિવસે કોરોનાના એકપણ કેસ ન નોંધાયો, એક્ટિવ કેસની સખ્યા 8 થઈ | For the second consecutive day, no case of corona was reported in Surendranagar district, the number of active cases increased to 8 | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર38 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામા સતત બીજા દિવસે પણ કોરોનાનો એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નહોતો. જ્યારે આજે કોરોના પોઝિટિવના 6 દર્દીઓને રજા આપવામાં આવી હતી. આમ સુરેન્દ્રનગર જિલ્લામાં 105માંથી 97 દર્દીઓ સાજા થતા 8 એક્ટીવ કેસ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તા.28 એપ્રિલને શુક્રવારે 400 આરટીપીસીઆર અને 117 એન્ટીજન ટેસ્ટ મળી કુલ 517 કોરોના ટેસ્ટ કરવામા કરવામા આવ્યા હતા.

જ્યારે આજે વધુ છ દર્દીઓને રજા અપાતા જિલ્લામાં કુલ 105 કેસોની સામે 97 લોકો કોરોનામુક્ત બનતા 8 કેસ એક્ટિવ રહ્યા હતા. આ એક્ટિવ કેસમાં સાયલા-1, થાનગઢ-2 અને વઢવાણ પંથકમાં 5 કોરોનાના એક્ટિવ કેસ રહ્યા હતા. આરોગ્ય તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ આ તમામ કોરોનાગ્રસ્ત દર્દીઓ હાલ હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે. આજે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. છતાં આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સતર્ક રહેવાની સાથે ફરજિયાત માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, થાનગઢ અને સાયલા તાલુકામાં જ હાલ કોરોના એક્ટિવ કેસ છે. બાકીના તાલુકા હાલ તો કોરોના મુક્ત બન્યા છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.