ભરૂચ39 મિનિટ પહેલા
- કૉપી લિંક

ભરૂચ શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર પાસે પાર્ક કરેલા ટ્રકમાંથી તસ્કરો 8 હજારની બે બેટરીની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ભરૂચ શહેરમાં દિન પ્રતિ દિન ચોરીના બનાવો વધી રહ્યા છે ભરૂચ જિલ્લામાં એક ગેંગ દ્વારા અગાઉ ઇકો ગાડીના સાઇલેન્સર ચોરી જતી ટોળકી સક્રિય થઇ હતી જેને પોલીસ દ્વારા ઝડપી પાડી વિપુલ માત્રા માં ચોરેલા સાઇલેન્સર રિકવર કરાયા હતા જે બાદ હવે વાહનોમાંથી બેટરી ચોરી જતી ટોળકી સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે.
ભરૂચ શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર પાછળ રહેતા નરેશ બાબુભાઈ પ્રજાપતિએ પોતાની ટ્રક નંબર-જી.જે.16.ડબ્લ્યુ.8598 ગત તારીખ-15મી એપ્રિલના રોજ દાંડિયાબજાર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર પાસે પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની ટ્રકની કેબીનનો લોક તોડી અંદર રહેલ 8 હજારની બે બેટરીની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બેટરીની ચોરી અંગે ભરૂચ એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.