Thursday, April 20, 2023

9 વર્ષીય દુર્વા સાથે મુખ્યમંત્રીએ મુલાકાત કરી, બાળકીએ કરેલા કામને લઈ CM બોલ્યા 'વાહ ભાઈ' | CM met 9-year-old Durva, CM said 'Wow brother' about the work done by the girl | Times Of Ahmedabad

ભરૂચ26 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભરૂચ સ્થિત પંડિત ઓમકારનાથ ટાઉન હોલ ખાતે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા સંપર્ક અને સંવાદ કાર્યક્રમમાં હાજરી આપવા રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ભરૂચના મહેમાન બન્યા હતા. આજે મુખ્ય પ્રધાને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. કાર્યક્રમમાં હાજરી આપવા હેલિકોપ્ટર દ્વારા ભરૂચ પહોંચેલા ભુપેન્દ્ર પટેલ જીએનએફસી હેલિપેડ ખાતે પહોંચ્યા ત્યારે સીએમ સાથે એક બાળકી નજરે પડી હતી હતી તેની સાથે થોડો સમય મુખ્યપ્રધાને વાતચીત પણ કરી હતી. કાર્યક્રમ સ્થળે કાફલા સાથે રવાના થયેલા ભુપેન્દ્ર પટેલે આ 9 વર્ષની બાળકીની પીઠ થપથપાવી હતી. આ બાળકી વિશે જાણીને તમને ચોક્કસ તેના માટે ગર્વની લાગણીનો અનુભવ થશે.

ભરૂચના જીએનએફસી હેલિપેડ ખાતે મુખ્યપ્રધાનને આવકાર આપનાર જિલ્લાના સાંસદ, ધારાસભ્યો અને પદાધિકારીઓ સાથે એક 9 વર્ષની બાળકી દુર્વા અંકિત મોદી પણ નજરે પડી હતી. આ બાળકી ક્રમમાં સૌથી આખરે ઉભી હતી. પણ આવકાર ઝીલતા આ બાળકી સુધી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા ત્યારે તેમનું ધ્યાન સૌથી વધુ 9 વર્ષની દુર્વા મોદીએ ખેંચ્યું હતું. દુર્વાએ ભુપેન્દ્ર પટેલને કહ્યું હતું કે ” 100 દિવસમાં આપણી સરકારે ગુજરાતની સમસ્યા દૂર કરી છે, આપના પગલે ચાલી હું સમાજ માટે ઉપયોગી કાર્યો કરવા માંગુ છું.આપના મને આશીર્વાદ આપશો” દૂર્વાની આખી વાત સાંભળી પીઠ થપથપાવી સીએમ કાર્યક્રમ સ્થળ તરફ રવાના થયા હતા. દુર્વા આમતો અન્ય સામાન્ય બાળકો જેવીજ છે પણ તેણે નાનકડી ઉંમરમાં કેટલાક એવા કાર્ય કર્યા છે કે તે સરકારી કાર્યક્રમોથી લઈ ઘણી સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓના કાર્યક્રમમાં મહત્વનું સ્થાન પામી ચુકી છે.

દુર્વા નાનપણથી ગરીબ અને જરૂરિયાત બાળકોને લઈ ખુબ સંવેદનશીલ છે
દુર્વા મોદી હાલ માત્ર 9 વર્ષની છે. આ બાળકી નાનપણથી ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો તરફ ખુબ સંવેદનશીલ સ્વભાવ ધરાવે છે. આ સ્વભાવ તેણે પરિવારની દોરવણી કે પ્રોત્સાહનથી નહીં પણ કુદરતી મળ્યો છે. રસ્તા ઉપર ફરતા બાળકોને પોતાના અને નાના ભાઈના કપડાં ઉતારી પહેરાવી દેવા, ભીખ માંગતા નજરે પડતા બાળકો માટે શક્ય તેટલી મદદ કરવી અને પોતાના દરેક જન્મદિવસની ઉજવણીને ગરીબ બાળકોને સમર્પિત કરવાનો દુર્વા ઇતિહાસ ધરાવે છે.

દુર્વાએ રસ્તા ઉપર ફરી 40 ગરીબ બાળકીઓ માટે સ્કૂલ ફી એકઠી કરી હતી
ગત વર્ષે કોરોનાકાળમાં ઘણા લોકોની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ હતી. અંક્લેશ્વરની કન્યાશાળામાં 40 બાળકીઓના પરિવાર સ્કૂલ ફી જમા કરાવી શકાય ન હતા. આ બાબતે શાળાએ ડેટા શોધવાનું શરૂ કરતા દુર્વાએ ડોનેશન બોક્સ બનાવી રોડ ઉપર ફરી 1 મહિનામાં 40 વિદ્યાર્થીઓની એક નહીં પરંતુ 2 વર્ષની ફીની રકમ એકઠી કરી શાળાને સોંપી બાળકોને અભ્યાસને અસર ન પડે તે માટે વચન લીધું હતું.

કોરોનાકાળમાં પોલીસ સાથે બાળકો માટે કેમ્પેઇન ચલાવ્યું હતું
કોરોનકાળમાં દિવસો સુધી વેપાર રોજગાર ઠપ્પ રહ્યા હતા. દુર્વાએ ટીવીમાં નિર્વસ્ત્ર બાળકોને જોયા હતા. શાળા અને મિત્રોનું ગ્રુપ બનાવી દરેક બાળકના ઘરેથી નવા કપડાં, ચોકલેટ અને ભાવતા ભોજનની ભેટ એકઠી કરી ભરૂચ SOG ની મદદથી 100 થઈ વધુ બાળકોને આ ભેટ આપવામાંઆવી હતી. આ કેમપેઇન દુર્વાએ ઉપાડ્યું હતું જે ખુબ સફળ રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: