Saturday, April 22, 2023

સૌરાષ્ટ્ર પંથકમાં બપોર બાદ પવન સાથે ધોધમાર વરસાદ, ઠેર-ઠેર વીજળી ગુલ થતા લોકોને હાલાકી | Afternoon torrential rain with wind in Saurashtra Panthak, people are affected by power failure everywhere. | Times Of Ahmedabad

રાજકોટ5 કલાક પહેલા

  • કૉપી લિંક

હવામાન વિભાગની આગાહીને પગલે છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ઠેર-ઠેર વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લાનાં ઉપલેટામાં પણ બપોર બાદ અચાનક વાતાવરણ બદલાયું હતું. અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા ઠેર-ઠેર વીજળી ગુલ થયાની ફરિયાદો ઉઠી હતી. અચાનક જ પડેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક ફરી વળી હતી. જોકે સિઝન વિનાનાં આ વરસાદને કારણે જગતનો તાત ચિંતામાં મુકાયો છે.

વરસાદના પાણી રસ્તાઓ પર ફરી વળ્યાં હતા

વરસાદના પાણી રસ્તાઓ પર ફરી વળ્યાં હતા

વેપારીઓના ઘઉંના કટ્ટા પલળી ગયા

વેપારીઓના ઘઉંના કટ્ટા પલળી ગયા

કચ્છમાં વરસાદી ઝાપટા પડ્યા
નોંધનીય છે કે આજે કચ્છના વાતાવરણમાં પણ ફરી એક વખત પલટો આવ્યો છે. આજે પૂર્વ કચ્છના અંજાર અને ગાંધીધામ વિસ્તારમાં બપોર બાદ અચાનક માહોલ બદલાઈ ગયો હતો અને જોરદાર કમોસમી વરસાદના ઝાપટા પડ્યા હતા. ખાસ કરીને અંજારના વરસામેડી ગામે જોરદાર વરસાદ વરસી પડતા લોકોએ મોબાઈલ ફોનમાં વીડિયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પર વહેતા કર્યા હતા.

જોરદાર કમોસમી વરસાદના ઝાપટા પડ્યા

જોરદાર કમોસમી વરસાદના ઝાપટા પડ્યા

આ પણ વાંચો:અંજાર અને ગાંધીધામ તાલુકામાં કમોસમી વરસાદી ઝાપટા પડતા માર્ગો પર પાણી વહી નીકળ્યા

રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં
રાજકોટનાં ઉપલેટા ખાતે છેલ્લા બે દિવસથી પડી રહેલી કાળઝાળ ગરમી બાદ આજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જેમાં અચાનક ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થતાં વાવાઝોડાનો માહોલ સર્જાયો હતો. અને લોકોમાં પણ આશ્ચર્યનો માહોલ જોવા મળ્યો હતો. આ વરસાદ પહેલા ભારે પવનને કારણે વીજળીઓ પણ ગુલ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સાથે જ વરસાદના પાણી રસ્તાઓ પર ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે નાના બાળકો ખુશખુશાલ જોવા મળ્યા હતા. અને બાળકોએ વરસાદમાં નહાવાની મોજ માણી હતી.

મનોરમા મોહંતી-ડાયરેકટર,હવામાન વિભાગ

મનોરમા મોહંતી-ડાયરેકટર,હવામાન વિભાગ

2 દિવસ તાપમાન યથાવત રહેશે
આ મામલે હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. આગામી 2 દિવસ તાપમાન યથાવત રહેશે. 2 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે.પવનની દિશા બદલાશે જેના કારણે તાપમાન વધશે.આજે અમદાવાદ મહત્તમ તાપમાન 39 ડિગ્રી નોંધાયું છે. આગામી 24-25 એપ્રિલના રોજ અમદાવાદ શહેરમાં યેલ એલર્ટ જાહેર કરવામાં આવશે.

લોકોમાં પણ આશ્ચર્યનો માહોલ જોવા મળ્યો

લોકોમાં પણ આશ્ચર્યનો માહોલ જોવા મળ્યો

જેતપુર, જેતલસર, ધોરાજીમાં પણ વરસાદ વરસ્યો
હાલ જેતપુર, જેતલસર, ધોરાજી શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ફરી પડ્યો છે. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. ધોરાજી માર્કેટ યાર્ડમાં ખુલ્લા ગ્રાઉન્ડમાં ખેડૂતો અને વેપારીઓના ઘઉંના કટ્ટા પલળી ગયા છે. યાર્ડમાં ઘઉં અને અન્ય જણસી પણ વરસાદી માહોલમાં પલળી ગયા છે. જેથી વેપારીઓ અને ખેડૂતોને નુકસાન થવા પામ્યું છે.

અચાનક વાતાવરણ બદલાયું હતું

અચાનક વાતાવરણ બદલાયું હતું

આ પણ વાંચો:ખેડૂતો પર ફરી આફત, ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, માર્કેટ યાર્ડમાં જણસી પલળી

પાકને મોટું નુકસાન થવાની દહેશત
આ વળતર મળે તે પૂર્વે જ આજે ફરી એકવાર વરસાદ પડતાં ઉનાળુ પાકને મોટું નુકસાન થવાની દહેશત ઉભી થઇ છે. જેને લઈને જગતના તાતની મુશ્કેલીઓ વધશે તે નિશ્ચિત મનાઈ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર સત્વરે આ માટેની સહાય ચૂકવે તેવી માંગ ખેડૂતોમાં ઉઠી રહી છે.

વૃક્ષને તાત્કાલિક અસરથી દૂર કરવાની કામગીરી શરૂ

વૃક્ષને તાત્કાલિક અસરથી દૂર કરવાની કામગીરી શરૂ

વૃક્ષ ધરાશાઈ થયાની ઘટના બની
હાલ રાજકોટના ઉપલેટા અચાનક ભારે પવન સાથે પડેલા ધોધમાર વરસાદને લઈને શહેરમાં વૃક્ષ ધરાશાઈ થયાની ઘટના બની હતી. જેને પગલે વૃક્ષ ધરાશાઈ થયાની ઘટના અંગે જાણ થતાં ઉપલેટા નગરપાલિકા ચીફ ઓફિસર દવે તેમજ ટીમ દોડી આવી હતી અને રસ્તા પર પડેલ વૃક્ષને તાત્કાલિક અસરથી દૂર કરવાની કામગીરી શરૂ કરી રસ્તા ખુલ્લા કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: