અમદાવાદએક કલાક પહેલા
- કૉપી લિંક

ટેક્નિકલ કોલેજ અને યુનિવર્સિટીમાં આપઘાતના બનાવ વધી રહ્યા છે, જેને પગલે ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.આ બનાવ અટકાવવા અને લોકો સ્ટ્રેસ ફ્રી રહે તે માટે સાયકોલોજીકલ કાઉન્સેલર રાખવા AICTE દ્વારા ભલામણ કરવામાં આવી છે. GTUમાં પણ આ અંગે કાર્યરત થઈ છે. GTU એફિલેટેડ તમામ કોલેજોમાં કાઉન્સેલર રાખવામાં આવશે.
કોઈ કોલેજમાં સાયકોલોજી સેન્ટર નહોતું
છેલ્લા 2 મહિનામાં એન્જિનિયરિંગ કોલેજમાં વિદ્યાર્થી અને પ્રોફેસરને ભારણના કારણે આપઘાત કર્યો છે. આ પગલાં સુધી વિદ્યાર્થીઓ, પ્રોફેસર કે સ્ટાફના પહોંચે તે માટે તમામ ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટમાં ફરજિયાત સાયકોલોજીસ્ટ રાખવા ભલામણ કરવામાં આવી છે. દરેક ઇન્સ્ટિટ્યૂટમાં કાઉન્સેલિંગ સેન્ટર રાખવામાં આવશે. જ્યાં લોકો પોતાનું કાઉન્સેલિંગ કરાવી શકશે. વિદ્યાર્થીઓ કે સ્ટાફ કોઈ સ્ટ્રેસમાં હોય તો તેમને પૂરતી મદદ કરવાની તથા જરૂરી ગાઈડન્સ આપવામાં આવશે. અત્યાર સુધી કોઈ કોલેજમાં સાયકોલોજી સેન્ટર નહોતું.
મેન્ટલ હેલ્થ સારી હોવી જરૂરી
આ અંગે ગુજરાત ટેક્નિકલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર કે.એન ખેરે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સ્ટાફની મેન્ટલ હેલ્થ સારી હોવી જરૂરી છે. વિદ્યાર્થીઓને ભણવાનો ટાર્ગેટ,સિલબેશ પૂરું કરવાનો કે પરીક્ષાનો સ્ટ્રેસ ના રહે તથા સ્ટાફને કામનો સ્ટ્રેસ ના રહે તે માટે સાયકોલોજી કાઉન્સેલિંગ સેન્ટર રાખવા ભલામણ કરવામાં આવી છે, તે મુજબ દરેક કોલેજમાં હવે સેન્ટર રાખવામાં આવશે. GTUમાં છેલ્લા 2 વર્ષથી સાયકોલોજીસ્ટ છે. આ ઉપરાંત એક સોફ્ટવેર પણ તૈયાર કરવામાં આવશે, જે દરેક કોલેજને આપવામાં આવશે. સોફ્ટવેરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) બેસ એનાલિસિસ કરવામાં આવશે.