Thursday, April 20, 2023

દ્વારકાધીશ મંદિરમાં રવિવારે અક્ષય તૃતીયા મહોત્સવ; દ્વારકામાં મૂળ સૌરાષ્ટ્રના તમિલ પરિવારોને અનેરા ઉત્સાહ સાથે આવકાર્યા | Akshay Tritiya Mohotsav on Sunday at Dwarkadhish Temple; Tamil families originally from Saurashtra were welcomed in Dwarka with great enthusiasm | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Akshay Tritiya Mohotsav On Sunday At Dwarkadhish Temple; Tamil Families Originally From Saurashtra Were Welcomed In Dwarka With Great Enthusiasm

દ્વારકા ખંભાળિયા11 મિનિટ પહેલા

  • કૉપી લિંક

શ્રીજીના ઉત્સવ નિમિત્તે દર્શનના સમયમાં ફેરફાર…
દ્વારકાધીશ જગત મંદિરમાં આગામી તા. 23/04/2023ને રવિવાર વૈશાખ સુદ ત્રીજના દિવસે તૃતીયા હોય, જગત મંદિરમાં ઠાકોરજીના ઉત્સવ દર્શનના ક્રમમાં જરૂરી ફેરફાર રહેશે. આગામી રવિવારના દિવસે સવારે મંગલા દર્શન નિત્યક્રમ અનુસાર, અભિષેક સ્નાન સવારે 8થી 9 સુધી (દર્શન બંધ), સવારે 9થી 10 સુધી શૃંગાર દર્શનનો લાભ ભક્તો લઈ શકશે. ત્યારબાદ સવારે 10થી 12 સુધી અનોસર, એટલે કે દર્શન બંધ રહેશે. બપોરે 12 કલાકે ઠાકોરજીની ઉત્સવ આરતી થશે તેમજ ત્યારબાદ બપોરે 1.30 સુધી શ્રીજીના ઉત્સવ દર્શન ભાવિકો માટે ખુલ્લાં રહેશે.

બપોરે 1.30થી 5 સુધી મંદિર બંધ રહેરો. સાંજના ક્રમમાં 5 કલાકે ઉત્થાપન દર્શન, સાંજે 6થી 7 સુધી ચંદન વાઘા વિસર્જન અનોસર, એટલે કે મંદિર બંધ રહ્યા બાદ, સાંજે 7 કલાકથી. નિત્યક્રમાનુસાર ઠાકોરજીના દર્શન થશે તેવું જગતમંદિર વહીવટદારની યાદીમાં જણાવાયું છે.

દેવભૂમિ દ્વારકાથી વિદાય લેતા સૌરાષ્ટ્રીયન તમિલ મહેમાનો…
તમિલનાડુથી દ્વારકા ખાતે 300 જેટલા સૌરાષ્ટ્રીયન તમિલો પધાર્યા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓએ ભગવાન દ્વારકાધીશ, રુકમણી મંદિર તેમજ નાગેશ્વર મહાદેવના દર્શન કર્યાં હતા.

ગુજરાતના રમણીય શિવરાજપુર બીચ ખાતે ગઈકાલે બુધવારે આ મહેમાનોએ રેત દ્વારા નિર્મિત શિલ્પો નિહાળ્યા હતા. આ ઉપરાંત દ્વારકા સર્કિટ હાઉસ પાછળના ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી ટ્રેન મારફતે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા નીકળ્યા હતા.

જ્યાં સૌરાષ્ટ્રીયન તમિલ મહેમાનેને પુષ્પ આપી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદાય આપવામાં આવી હતી. વિદાય આપતી વેળાએ દ્વારકાની ભૂમિ પર પધારી ધન્યતાની લાગણી અનુભવી હોવાનું વિદાય લેતા મહેમાનોના ચહેરા પરના સ્મિત પરથી સ્પષ્ટ નજરે પડ્યું હતું. આ સમયે દ્વારકાના પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા સહિત રેલવેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બીજી બેચનું દ્વારકામાં સ્વાગત કરાયું…
દ્વારકા ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં આજે ગુરુવારે બીજા દિવસે આશરે 300 જેટલા સૌરાષ્ટ્રીયન તમિલ પરિવારો આવી પહોંચ્યા હતા. મહેમાનોને અનેરા ઉત્સાહ સાથે ઢોલના સથવારે પરંપરાગત રીતે આવકાર આપી તેમને વધાવી લીધા હતા.

તમિલનાડુથી આવેલા મહેમાનોને પુષ્પોથી વધાવ્યા હતા. પૂર્વજોની ભૂમિ પર આવી, તેઓએ ધન્યતા અનુભવી હતી. પારંપારિક ઢોલના સથવારે સ્વાગત થતા તમિલ બાંધવો પણ ઝૂમી ઉઠ્યા હતા. સાથે જય દ્વારકાધીશના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

ઝાંઝરી ગૃપ દ્વારા ટ્રેડિશનલ વેશભૂષા સાથે મહેમાનોને આવકારવામાં આવ્યા હતા. જેમાં ચીફ ઓફિસર દ્વારકા ઉદય નશિત, જિલ્લા યુવા વિકાસ અધિકારી પરબત હાથલિયા, દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિ અને સંગઠનના અગ્રણીઓ દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ઝાંઝરી ગૃપના આલોક પાઢે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર તમિલ સંગમ અંતર્ગત સોમનાથથી 300 જેટલા સૌરાષ્ટ્રીયન તમિલો બાંધવો દેવભૂમિ દ્વારકા ખાતે પધાર્યા છે. ઝાંઝરી ગૃપ દ્વારકા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત દેશ દરેક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાંથી હજારો વર્ષો પૂર્વે તમિલનાડુમાં સ્થાયી થયા હતા. જેને સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ દ્વારા સૌરાષ્ટ્રીયન તમિલોને તેમની માતૃભૂમિ સાથે જોડવાનો ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રીયન તમિલોને દ્વારકા ખાતે આવકારવા માટે અમારા ગૃપમાં ભારે ઉત્સાહ છે.

ઢોલ અને શરણાઈના તાલે ઝૂમી ઉઠ્યા સૌરાષ્ટ્રીયન તમિલ બાંધવો…
દેવભૂમિ દ્વારકા ખાતે આવેલા તમિલ બાંધવો પોતાની માતૃભૂમિમાં હજારો વર્ષો બાદ આવનાર સૌરાષ્ટ્રમાં તમિલ બાંધવોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. દ્વારકા ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવતા સમયે હર્ષોલ્લાસ સાથે ઢોલ અને શરણાઈ તાલે ઝૂમી ઉઠ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: