અમદાવાદ2 કલાક પહેલા
- કૉપી લિંક

અમદાવાદ શહેરમાં જાહેર રોડ પર ગંદકી કરનારા અને પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરનારા દુકાનદારો વિરુદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચાઓમાં સાફ-સફાઈ અને જાળવણીની જવાબદારી જે કંપની સંચાલન કરે તેની હોય છે ત્યારે શહેરના વસ્ત્રાપુર ગાર્ડનમાં વારંવાર સૂચના છતાં યોગ્ય સફાઈ ન કરવામાં આવતા સંચાલક કંપની અમુલ પાર્લરને સીલ કરવામાં આવ્યા છે. વસ્ત્રાપુર ગાર્ડનમાં બે અમૂલ પાર્લર આવેલા છે તે બંને અમૂલ પાર્લરને આજે ઉત્તર પશ્ચિમ ઝોનનાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા સીલ કરવામાં આવ્યા હતા.
વસ્ત્રાપુર ગાર્ડનના બંને અમૂલ સ્ટોલ સીલ
ઉત્તર પશ્વિમ ઝોનમાં બોડકદેવ વોર્ડમાં આવેલા વસ્ત્રાપુર ગાર્ડનની જાળવણીની જવાબદારી અમૂલ કંપનીને સોંપેલી છે. સફાઈ અને સ્વચ્છતાની વારંવારની સૂચના આપવામાં આવી હતી. જે અવગણના કરવા બદલ અમૂલ સ્ટોલ સંચાલક પોતે કોઈ પ્રત્યુત્તર કે સૂચવાય તેવી સ્વચ્છતા અંગે અસહકારી વલણ દાખવતાં હોવાને કારણે આગામી સ્વચ્છતા સર્વેક્ષણની ગાર્ડન સાઈટોમાં સફાઈ અવગણના સહિતની સ્થિતિમાં જોવા મળી હતી. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ટીમને ગાર્ડન વેસ્ટના નામે ગંદકીના ઢગલા જોવા મળતાં વસ્ત્રાપુર ગાર્ડનના બંને અમૂલ સ્ટોલ આજે સીલ કરવામાં આવ્યા હતા. દિવસોમાં આવી રીતે યોગ્ય સફાઈ ન બદલ કડક કાર્યવાહી કરવામાં આવશે.
2 દિવસ સુધી બંધ રહેશે રેલવે ક્રોસિંગ
પશ્ચિમ રેલવેના અમદાવાદ-ખેડબ્રહ્મા સેકશનના નરોડા-ડભોડા સ્ટેશનોની વચ્ચે આવેલા રેલવે ક્રોસિંગ નં-10X SPL કિ.મી.396/5-6 (રિંગ રોડ ક્રોસિંગ) ઓવરહોલિંગ (મરમ્મત અને જાળવણી) કામ માટે 28 એપ્રિલ, 2023ના રોજ સવારે 8:00 વાગ્યાથી 29 એપ્રિલના રોજ સાંજે 7 વાગ્યા સુધી એમ (2 દિવસ) બંધ રહેશે. લોકો આ સમયગાળાનાં દરમિયાન (same) રેલવે ક્રોસિંગ નં-10X SPL કિ.મી. 396/5-6 (રિંગ રોડ ક્રોસિંગ) વન વે (one way) નરોડા બાજુથી અવર-જવર કરી શકશે.