Thursday, April 27, 2023

ગાંધીનગરની મહિલા પર દુષ્કર્મ કેસમાં ત્રણ સમન્સ બાદ પણ હાજર નહીં થયેલા બિલ્ડરના આગોતરા જામીન નામંજૂર | Anticipatory bail denied to builder who failed to appear after three summons in Gandhinagar woman rape case | Times Of Ahmedabad

ગાંધીનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

ગાંધીનગરની મહિલાની ખોટી એફિડેવિટ કરી ઉચ્ચ પોલીસ અધિકારીને બદનામ કરી 8 કરોડની ખંડણી પડાવવાના કાવતરામાં પોલીસે ગુનો દાખલ કરી પાંચ આરોપીની ધરપકડ કરી હતી. મહિલા પર ચાંદખેડા ખાતે આવેલા બંગલોમાં દુષ્કર્મ થયું હોવાથી આ મામલે ચાંદખેડા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. દુષ્કર્મના કેસમાં મહિલા ક્રાઈમ બ્રાન્ચે બિલ્ડર યોગેશ ગુપ્તાને ત્રણ વખત સમન્સ મોકલી હાજર થવા જણાવ્યુ હતું. જો કે બિલ્ડરે પોલીસ સમક્ષ હાજર થવાના બદલે ગાંધીનગર કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી.જેને કોર્ટે ફગાવી દીધી છે.

કેસની વિગતો મુજબ, રાજ્યના સિનિયર આઈપીએસ અધિકારીઓને બદનામ કરતી એફિડેવિટ વાઈરલ કરીને આઠ કરોડ રૂપિયા પડાવવાના કાવતરાનો પર્દાફાશ ગુજરાત એટીએસએ કરીને પાંચ જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી. આ એફિડેવિટ કરનાર મહિલા સાથે દુષ્કર્મ થયાની વિગતો બહાર આવતા ગાંધીનગર સે-21 પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

જો કે, મહિલાએ ફરિયાદમાં તેની પર દુષ્કર્મ ચાંદખેડાના સંગાથ બંગલોમાં થયાનું જણાવ્યું હતું. જેના પગલે ઝીરો નંબરથી દાખલ થયેલી ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવી હતી. ચાંદખેડા પોલીસે ગુનો દાખલ કર્યા બાદ આ કેસની તપાસ મહિલા ક્રાઈમબ્રાંચને સોંપવાનો હુકમ થયો હતો. આ કેસમાં આરોપી ઈસ્માઈલ મલેકની ધરપકડ કરી રિમાન્ડ લેવામાં આવ્યો હતો.

મહિલા ક્રાઈમબ્રાંચની તપાસમાં ખુલેલી વિગત મુજબ સંગાથ બંગલોની જે ઓફિસમાં મહિલા પર કથિત દુષ્કર્મ થયું તેના સંચાલક બિલ્ડર યોગેશ ગુપ્તા છે. જે આધારે મહિલા ક્રાઈમબ્રાંચે યોગેશ ગુપ્તાને પૂછપરછ માટે હાજર રહેવા ત્રણ સમન્સ મોકલ્યા હતા. પરંતુ તેઓ હાજર રહ્યા ન હતા. યોગેશ ગુપ્તાએ ગાંધીનગર અધિક સેશન્સ જજની કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી હતી.

આ અરજીમાં રજૂઆત થઈ હતી કે, સ્થળ પર અરજદારની હાજરીના પુરાવા મળ્યા નથી. મહિલા પર દુષ્કર્મ કરનાર વ્યક્તિ તરીકે ઉચ્ચ પોલીસ અધિકારીનું નામ બહાર આવ્યુ હતું, પરંતુ પોલીસે તેમની પૂછપરછ કરી નથી. ફરિયાદમાં ઘણી હકીકતો છુપાવવામાં આવી છે. આ કેસમાં કોઈ ભૂમિકા ન હોવાથી કોર્ટે આગોતરા જામીન મંજૂર કરવા જોઈએ.

સામા પક્ષે સરકારી વકીલે આગોતરા જામીન નામંજૂર કરવાની દલીલમાં જણાવ્યુ હતું કે, આરોપી વગદાર વ્યક્તિ છે અને જામીન મંજૂર કરાય તો સાક્ષી-પુરાવા સાથે ચેડાં થવાની શક્યતા છે.અગાઉ ત્રણ વખત સમન્સ પાઠવવા છતાં હાજર થયા નથી અને તપાસમાં પોલીસને સહકાર આપતા નથી. બંને પક્ષની દલીલો સાંભળીને કોર્ટે યોગેશ ગુપ્તાના આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી.

Related Posts: