Tuesday, April 25, 2023

એક જ ખેતરમાં તલના વાવેતરની સાથે સાથે મધમાખીનો ઉછેર, નવતર પ્રયોગથી ઉત્પાદનમાં વધારો થવાની શક્યતા | Bee keeping along with sesame cultivation in the same field, a novel experiment, possibility of increasing production | Times Of Ahmedabad

જુનાગઢ9 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જૂનાગઢ જિલ્લાના ખેડૂતો દ્વારા પાક વધુ મેળવવા માટે નવી પદ્ધતિ વિકસાવી છે. જેમાં તલ, રાયડા, સૂર્યમુખી જેવા પાકો જેમાં ફૂલો આવે તે પાકોનું ઉત્પાદન વધારે મેળવવા માટે મધમાખીના બોક્સ મૂકી અને વાવેતર કરવામાં આવે છે.

આ વર્ષે જૂનાગઢ જિલ્લામાં તલનું સૌથી વધુ વાવેતર થયું છે. 29 હજાર હેક્ટરમાં તલનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે તલનું વધુ ઉત્પાદન મેળવી શકાય તે માટે ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં તલના વાવેતર બાદ નજીકમાં મધમાખીના બોક્સ મૂકવામાં આવ્યાં છે. આ નવતર પ્રયોગથી તલના ઉત્પાદનમાં વધારો થશે.

તલ,રાયડા, સૂર્યમુખી,જેવા ફૂલ જન્યા પાકોને લેવા માટે ખાસ કરીને આ પદ્ધતિ વિકસાવવામાં આવી રહી છે. જેમાં મધમાખી એક ફૂલ પરથી બીજા ફૂલ પર જઈ અને ફલીનીકરણ કરવાથી આજુબાજુના 15 કિલોમીટર વિસ્તારમાં મધમાખી દ્વારા ફલીનીકરણ થતા પાકનું ઉગાવો વધારો થયો છે. ખેડૂતો પણ આ પદ્ધતિને જોઈને અચરજમાં મુકાયા છે અને ખેતરમાં ઉભેલા પાકો જોઈને વિસાવદર તાલુકામાં લોકો આ પદ્ધતિ અપનાવી રહ્યા છે.

બીજી તરફ ખેડૂતો પાસેથી આ બોક્સ રાખવાના એક પણ રૂપિયા લીધા વગર માત્ર મધ એકઠું કરી અને લોકોને વ્યાજબી કિંમતે વેચવામાં આવે છે. વિસાવદર પંથકના ખાભા આજુબાજુ વિસ્તારમાં અંદાજિત 250 થી 300 જેટલા મધમાખીના બોક્સ રાખવામાં આવ્યાં છે. આમ એકત્રિત કરી અને બજારમાં 300 થી 600 રૂપિયા સુધીના ભાવ લઈને મધ વહેંચવામાં આવે છે અને મધ પણ ખૂબ જ સારી ગુણવત્તા વાળું હોવાથી લોકો આ મધ ખરીદવા આકર્ષાય છે. આ મધ એકત્રિત કરવા માટે બે મહિના સુધી સતત મધમાખીના બોક્સ લઈને મજૂરો ફરતા હોય છે.

ખેડૂત ભરતભાઈ કોટડીયાએ જણાવ્યું હતું કે, મેં અત્યારે પાંચ વીઘાની તલની ખેતી કરેલ છે. જેમાં 250થી વધુ મધમાખીઓ માટે પેટી મૂકેલી છે. આ મધમાખીઓની પેટીઓ મૂકવાથી ખેતરમાં ખૂબ જ પ્રમાણમાં ફ્લાવરિંગ આવે છે. જેને કારણે તલનું ઉત્પાદન વધશે. પાંચ વીઘામાં 15 થી 18 મણનો તલનો ઉતારો આવે તેવો અંદાજ લાગી રહ્યો છે. એક વીઘે ત્રણ મણ તલનો ઉતારો થાય તેવું લાગી રહ્યું છે.

મધમાખી ઉછેર માટે થરાદથી આવેલા હિરજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, મધમાખી ઉછેર માટે 600 થી વધુ બોક્સ તેમની પાસે છે. જેમાં ખાંભા તેમજ વિસાવદરમાં આ મધમાખીના બોક્સ મોકવામાં આવ્યાં છે. આ મધમાખીની પેટીઓ ખેતર નજીક મુકવાથી ફૂલજન્ય પાકોમાં પોલીનેશનથી ઉત્પાદનમાં વધારો થાય છે. આ પદ્ધતિથી વાવેતર કરવામાં ખેતરમાં વાવેલા પાકના ઉત્પાદનમાં ખેડૂતોને પણ ફાયદો થાય છે અને અમે જે માખીઓની પેટી મૂકીએ છીએ જેનાથી મધ પણ મળે છે જેથી કરીને અમને પણ ખૂબ ફાયદો થાય છે. આ વર્ષે 600 મધમાખીના બોક્સમાંથી 6,000 કિલો જેટલું મધ એકત્રિત કરી વેંચાણ કર્યું છે. આ પદ્ધતિથી ખેતી કરવામાં ખેડૂતોને કોઈપણ પ્રકારની રાસાયણિક દવાના છંટકાવ પણ કરવા પડતા નથી.

આમ ફૂલ જન્ય પાક વધુ લેવા માટે મધમાખીના બોક્સ જો આજુબાજુ વિસ્તારમાં રાખવામાં આવે તો 15 કિલોમીટર એરિયામાં મધમાખી દ્વારા ફલીનીકરણ થતા જે તે પાકનું ઉત્પાદન વધી શકે તેમાં કોઈ શંકાને સ્થાન નથી..

Related Posts: