Wednesday, April 26, 2023

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ખોટો લાભ લેતા ચેતજો; રાજપીપળા ટેકરા ફળિયાના એક લાભાર્થી સામે ફરિયાદ નોંધાઈ | Beware of taking wrong advantage in Pradhan Mantri Awas Yojana; A complaint was registered against one of the beneficiaries of the Rajpipla hill slab | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Beware Of Taking Wrong Advantage In Pradhan Mantri Awas Yojana; A Complaint Was Registered Against One Of The Beneficiaries Of The Rajpipla Hill Slab

નર્મદા (રાજપીપળા)24 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સમગ્ર રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના 2017થી કાર્યરત છે. જેમાં રાજપીપળા નગરપાલિકામાં આવતા વિસ્તારમાં પોતાના નામે કાચા મકાન કે જમીન ધરાવતા વ્યક્તિઓને આનો લાભ મળતો હોય, પરંતુ તેઓનું કે તેમના પરિવારનું ભારતભરમાં કોઈ જ પાકું મકાન નથી. તેવું સોગંદનામુ પણ કરવાનું હોવાથી લાભાર્થીઓ ખોટા સોગંદનામા કરી મફત મળતી સહાય મેળવવા ગેરમાર્ગે દોરતા હોવાની વાત સામે આવ્યા બાદ પાલિકાનાં મુખ્ય અધિકારી રાહુલ ઢોડિયા એ આવા એક ખોટા લાભાર્થી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરતા અન્યમાં ફફડાટ ફેલાયો છે.

રાજપીપળા નગરપાલિકાનાં મુખ્ય અધિકારી રાહુલ ઢોડિયાં એ આપેલી ફરિયાદ મુજબ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો નાણાંકીય આર્થિક લાભ લેવા રાજપીપળા ટેકરા ફળિયામાં રહેતા જગદીશ જેસંગભાઈ વસાવાએ પોતે તથા પોતાના પરિવારના સભ્યોનું રાજપીપલા નગરપાલિકાના સીટી સર્વે નંબર-173માં પોતે તથા પરિવારની સંયુક્ત માલિકીનું પાકુ મકાન આવેલું છે.

છતા પ્રધાનમંત્રી આવાસ યોજનાનો નાણાંકીય આર્થિક લાભ લેવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ફોર્મ સાથે એફિડીવીટ પર પોતાનું કે પરિવારના સભ્યનું ભારતભરમાં કોઇ પણ જગ્યાએ પાકું મકાન ધરાવતા નથી તેવું ખોટું સોગંદનામું ઉભુ કર્યું. તથા આવાસનું મકાન બાંધકામ કરવા માટે પોતે તથા પોતાના પરિવારના સભ્યોની સંયુક્ત માલિકીનુ પ્રોપર્ટીકાર્ડ મુખ્ય અધિકારી સમક્ષ રજુ કર્યું.

આવાસ મંજુર કરાવી આવાસના પ્રથમ હપ્તાના એડવાન્સ નાણાં રૂ. 30 હજારનો આર્થિક લાભ મેળવી બાકીના આવાસના હપ્તાઓની રકમ મેળવવા માટે રસીક મંગાભાઈ વસાવાની કબ્જા માલિકીની પ્લોટ સીટ નંબર-3 સર્વે નંબર 174 વાળી જમીનમાં બાંધકામ કરવાની કોશીષ કરી. પાછળથી એડવાન્સ નાણાં રૂ. 30 હજાર વસુલી છેતરપીંડી આચરવા માટે સોંગદનામાં જણાવેલું. હકીકત ખોટી હોવાનું સારી રીતે જાણતા હોવા છતા ખરા તરીકે ઉપયોગ કરી છેતરપીંડી કરી હતી.

રાજપીપળા પોલીસે જગદીશ વસાવા સામે છેતપીંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો આ ગુનો કદાચ ગુજરાત રાજ્યમાં પ્રથમ ગુનો હશે. માટે ખોટા સરકારી લાભો લેતા લોકોએ આ ફરિયાદ બાદ ચેતી જવું પડશે.

રાજપીપળામાં 2017થી શરૂ થયેલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘણા લાભાર્થીઓને લાભ મળ્યો છે. પરંતુ આમાં હજુ ઝીણવટભરી તપાસ થાય તો ઘણા ખોટા લાભાર્થીઓ બહાર આવશે એ બાબત નકારી ના શકાય.

Related Posts: