Monday, April 17, 2023

પોરબંદરના જળપ્લાવિત ક્ષેત્રોની માહિતી આપતા ડો.ધવલ વારગીયા તથા ઉદય વોરાના પુસ્તકનું ગાંધીનગર ખાતે વિમોચન કરાયું | The book of Dr. Dhaval Wargia and Uday Vora, giving information about the flooded areas of Porbandar, was released at Gandhinagar. | Times Of Ahmedabad

પોરબંદર22 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા યોજાયેલ કાર્ય શિબિર પ્રકૃતિ શિક્ષણ-નવા પડકારો અને વ્યૂહ રચનાના ઉદ્ઘાટન દરમિયાન પોરબંદરના જળપ્લાવિત વિસ્તારની માહિતી આપતા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના 30 કરતા વધારે જિલ્લાઓમાંથી 10 જેટલા પ્રકૃતિ શિક્ષણ સાથે સંકળાયેલા લોકો જોડાયા હતા જે તમામને આ પુસ્તક આપવામાં આવ્યું હતું.ડો.ધવલ વારગીયા અને ઉદય વોરા લેખિત આ પુસ્તક ભારત સરકારની પર્યાવરણ અનુરુપ જીવન શૈલી પર આધારિત છે. પર્યાવરણ માહિતી, જાગૃતિ, ક્ષમતા નિર્માણ અને આજીવિકા કાર્યક્રમ અંતર્ગત પ્રકાશીત કરવામાં આવ્યું છે.

મહેશ સિંઘ મેમ્બર સેક્રેટરી ગુજરાત ઇકોલોજી કમિશને પોતાના સંદેશમાં પર્યાવરણ અને પરિસર તંત્ર અંગેની લોકજાગૃતિ ઊભી કરવા માટે ભાગીદાર બનેલ મોકરસાગર કમિટી તથા બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાતને બિરદાવી હતી. પોરબંદર સ્થિત મોકર સાગર વેટલેન્ડ કન્ઝર્વેશન કમિટી ઘણા વર્ષોથી પોરબંદરના ઝળપ્લાવિત વિસ્તારોના સંરક્ષણ અને લોકજાગૃતિ ફેલાવવા ઘણા વર્ષોથી વૈજ્ઞાનિક ઢબે પ્રયત્ન કરતી આવી છે. શાળામાં લોક જાગૃતિ અગેના કાર્યક્રમો, પક્ષી ગણતરી, સરકારી તેમજ અર્ધ સરકારી સંસ્થાઓ સાથે સંયોજન કરી વેટલેન્ડ બચાવવાના કાર્યો કર્યા છે.

આ પુસ્તકમાં પોરબંદરના વિવિધ જળપ્લાવિત ક્ષેત્રો વિશે માહિતી આપવામાં આવી છે. સાથે સાથે અહીં થયેલા પક્ષી ગણતરી જંતુનાશક દવાઓ તથા હેવી મેટલથી થતું નુકસાન, ઇકો ટુરીઝમ તથા ડો.ધવલ વારગીયા દ્વારા પોરબંદરમાં આવેલ વેટલેન્ડના પક્ષીઓના સુંદર ફોટા પ્રકાશિત થયા છે. ગુજરાતના ખૂબ મહત્વના પ્રદેશ એવા પોરબંદરને એક આગવું સ્થાન પ્રાપ્ત થયું છે અને મોકર સાગર જેવા આદર્શ વેટલેન્ડ વિસ્તારના સંરક્ષણને વેગ મળ્યો છે. સાથે સાથે આ બુકમાં પોરબંદરના જળપ્લાવિત વિસ્તારોનું કાયદેસર ધોરણે તથા બને એટલું જલ્દી સંરક્ષણ થાય તથા રામ સાઈટ તરીકે જાહેર થાય તેવી પણ માંગણી કરવામાં આવી છે. પોરબંદરના પ્રકૃતિ પ્રેમી યુવાનોને આ પુસ્તિકા આવનારા દિવસોમાં વિનામૂલ્ય આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…