રાજકોટએક કલાક પહેલા
- કૉપી લિંક
રાજકોટમાં પ્રથમવાર તમામ અંગોનું દાન કરાવાનો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં બ્રેઈનડેડ થતા CA યુવકની બે આંખ, બે કિડની, બન્ને ફેફસા, હૃદય અને લીવરનું દાન અમદવાદ અને ચેન્નાઇની હોસ્પિટલમાં કરવામાં આવશે. જેનાથી અન્યને નવજીવન મળશે. નોંધનીય છે કે રાજકોટ શહેરમાં થયેલું આ 105મુ અંગોનું દાન થયું છે પરંતુ તમામ અંગોનું દાન થયું હોય તેવી આ પ્રથમ ઘટના છે.
શું છે સમગ્ર મામલો
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર તારીખ 29 માર્ચની રાત્રે રાજકોટ જામનગર રોડ પર આવેલ ધ ગ્રાન્ડ મુરીલધર હોટલ ખાતે CA નૈતિકભાઈ જાજલ મિત્રો અને પરિવારજનો સાથે જમવા માટે ગયા હતા. રાતના સમયે 11 વાગ્યે રાજકોટથી જામનગર રોડ પર આવેલ ગ્રાન્ડ મુરલીધર હોટેલમાં જમવા જતા હતા આ સમયે નૈતિકની સાથે તેમના મિત્ર હર્ષ કોઠારીની માતા ઉષાબેન કોઠારી સ્કૂટરમાં બેઠા હતા જયારે બીજા સ્કૂટરમાં હર્ષ અને તેમના પરિવાર હતાં. આમ બધા એક સાથે જમવા માટે જઇ રહ્યા હતા.

નૈતિકભાઇને માથાના ભાગે ગંભીર ઈજા પહોચી હતી
નૈતિકભાઇની તબિયત નાજુક હતી
આ દરમિયાન રાજકોટથી ગ્રાન્ડ મુરલીધર જામનગર રોડ તરફ હોટલથી 500 મીટર દૂર તેમના બાઈકને પાછળથી સફેદ કલરની હ્યુન્ડાઇ એસેન્ટ કાર ખૂબ ઝડપે આવી ઠોકર મારી હતી. પાછળથી મોટરકારે ઠોકર મારતા નૈતિકભાઇ જાજલને માથાના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર અર્થે રાજકોટના કુવાડવા રોડ પર આવેલ ગોકુલ હોસ્પિટલમાં આઈસીયું વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. પહેલેથી જ નૈતિકભાઇની તબિયત અત્યંત નાજુક હોવાનું તબીબોએ જણાવ્યું હતું અને તેઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા. તબીબોએ બ્રેઈનડેડ જાહેર કરતા પરિવારજનોએ યુવાન દીકરાનું અંગદાન કરવા નિર્ણય કર્યો છે.
અન્ય દર્દીઓને નવજીવન મળશે
નૈતિક ભાઈના પરિવારજનોએ અંગદાન અંગે નિર્ણય કરતા 28 વર્ષીય નૈતિકભાઈ જાજલનું હૃદય, બે કિડની, લીવર, બે ફેફસા અને બંને આંખોનું દાન કરવા નિર્ણય કરાયો છે. જેના થકી અન્ય દર્દીઓને નવજીવન મળશે અને નૈતિકભાઈના પરિવારજનો હમેશને માટે પોતાના યુવાન દીકરાને અન્યના જીવમાં જીવતો જોઈ શકશે.
માતા પણ ઘાયલ
ઉલ્લેખનીય છે કે અકસ્માતમાં નૈતિકભાઈની પાછળ બેઠેલા તેમના મિત્રની માતાને પણ હાથ પગમાં અને શરીરમાં અન્ય ભાગોમાં ઈજાઓ પહોંચતા તેમને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જયારે અકસ્માત સર્જી કારચાલક નાસી છુટતા પડધરી પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંઘી કાર્યવાહી હાથ ધરી છે.

તબીબો તેમજ સામાજિક કાર્યકરોની ઝુંબેશ રંગ લાવી
ગ્રીન કોરિડોર મારફતે અંગદાન
નોંધનીય છે કે નૈતિકભાઈના હૃદયને યુ.એન.મહેતા હોસ્પિટલ-અમદાવાદ, તેના બન્ને ફેફસાને એમજીએમ હોસ્પિટલ-ચેન્નાઈ અને તેની બન્ને કિડની તેમજ લીવરને સિવિલ હોસ્પિટલ-અમદાવાદમાં મોકલવામાં આવ્યા છે.પરિવારજનોએ અંગદાન માટે સહમતિ આપતાં તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી. નૈતિકના દાન થનારા તમામ અંગો ફિટ હોવાથી તેને ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદ અને ચેન્નાઈ મોકલવામાં આવશે. આ સાથે જ રાજકોટમાં 105મું અંગદાન થયું છે સાથે સાથે તબીબો તેમજ સામાજિક કાર્યકરોની અંગદાન પ્રત્યેની ઝુંબેશ પણ રંગ લાવી રહી છે જેના કારણે અંગોની જરૂરિયાત ધરાવતાં લોકોને નવજીવન મળી રહ્યું છે.