બનાસકાંઠા (પાલનપુર)એક કલાક પહેલા
- કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં આજે વધુ 14 કેસ નોંધાયા છે. જ્યારે 04 લોકોએ કોરોનાને માત આપી છે જેથી જિલ્લામાં કુલ 44 એક્ટિવ કેસ થયા છે. જેને પગલેઆરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. આજે RT-PCR 421 અને એન્ટિજન 977 ટેસ્ટ કરવામાં આવ્યાં હતા.
ગુજરાત સહીત બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે ધાનેરામાં 03 ડીસામાં 03 પાલનપુર 01 વાવમાં 02 દર્દી કોરોનાની ઝપેટમાં આવ્યો છે. જેથી તેમને હોમ આઈસોલેટ કરવામાં આવ્યાં છે. જિલ્લા 14 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ભારતમાંથી હજી કોરોના નાબૂદ થયો નથી. આ અંગે આરોગ્ય તંત્ર એલર્ટ બની ગયું છે અને આર.ટી.પી.સી.આર. અને એન્ટીજન ટેસ્ટની સંખ્યા વધારી દીધી છે. રાજ્યમાં પણ કોરોનાના કેસો દિન પ્રતિદિન વધુને વધુ નોંધાઈ રહ્યા છે. જિલ્લામાં હાલ 44 એક્ટિવ કેસ છે.ઉલ્લેખનીય છે બનાસકાંઠા જિલ્લામાં ફરી કોરોના એ માથું ઉંચક્યું છે 14 તાલુકામાંથી આજે 4 તાલુકામાં કોરોના પોઝીટીવ કેશ નોંધાયા છે જેમાં એક લોકોએ કોરોના ને માત આપી છે જિલ્લા કુલ 1398 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 14 કેશ નોંધાતા કુલ 44 એક્ટિવ કેશ થયા છે ધીમે ધીમે વધતા કોરોના કેસોમાં લોકોને સતર્ક રહેવું જરૂરી છે.