અરવલ્લી (મોડાસા)6 મિનિટ પહેલા
- કૉપી લિંક
આજે વૈશાખ સુદ ત્રીજની ઉજવણી લોકો દ્વારા અલગ અલગ પરંપરા મુજબ કરવામાં આવતી હોય છે. ત્યારે અરવલ્લીમાં વર્ષો જૂની પરંપરા મુજબ ખેડૂતો દ્વારા અખાત્રીજની ઉજવણી કરવામાં આવી હતી.
અખાત્રીજ એટલે અક્ષય તૃતીયા આ દિવસ અરવલ્લી જિલ્લાના ખેડૂતો અનોખી પરંપરા મુજબ ઉજવણી કરે છે. વહેલા ખેતરમાં જઈ ખેતીના ઓજારો જેવા કે હળ, બળદ, સાથે કુમારિકાના હસ્તે ખેડૂતનું અને બળદ-હળનું પૂજન કારવે છે. ખેડૂતે ખેતરમાં હળ અને બળદ જોડીને હડોત્રો કર્યો હતો. ખેડૂતો દ્વારા પરંપરાગત સપ્ત ધાન્યનું વાવેતર કરવામાં આવે છે અને ધરતી માતાની પૂજા કરાય છે. આમ અનોખી રીતે અખાત્રીજની ખેડૂતો દ્વારા ઉજવણી કરવામાં આવે છે. વર્ષો જૂની માન્યતા છે કે, અખાત્રીજના દિવસે હોડત્રો કરી કુમારિકાના હસ્તે પૂજન અર્ચન કરવાથી ખેતીમાં વર્ષ દરમિયાન સારી બરકત આવે છે અને ખૂબ ઉપજ મળે છે. તે પરંપરા અરવલ્લીમાં આજે આધુનિક યુગમાં પણ જળવાઈ રહી છે.

